Posts

Showing posts from May, 2023

ધોરણ -12નું પરિણામ જાહેર : કયા જિલ્લાનું સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ જુઓ એક ક્લિકમાં

Image
  માર્ચ ૨૦૨૩ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 %  ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવેલ છે.  આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા ...

HSC સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર.

Image
  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.  વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. OFFICIAL Website:  www.gseb.org   Resu...

તારીખ:૨૮-૦૫-૨૦૨૩નાં દિને ધરમપુરનાં આંગણે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો થયેલો શુભારંભ.

Image
  તારીખ:૨૮-૦૫-૨૦૨૩નાં દિને ધરમપુરનાં આંગણે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો થયેલો શુભારંભ.  છાંયડો હોસ્પિટલ ખેરગામના ઓનર ડૉ.નિરવ પટેલ અને કલ્પવંત રેસ્ટોરન્ટનાં માલિક પ્રો. નીરલ પટેલ તથા મયુર પટેલના સયુંકત સાહસથી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ' દિવા નું ઘર ' રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. 'દિવા નું ઘર' રેસ્ટોરન્ટ નામ ડૉ.નિરવ પટેલની દીકરી 'નિદિવા' અને દીકરા 'નીદિવ'ના નામ પરથી પાડવામાં આવ્યું છે.  આ કાર્યક્રમમાં પરમાર હોસ્પિટલ જે હાલ છાંયડો હોસ્પિટલનાં મકાનમાલિક ડૉ.પરમાર સાહેબ તથા તેમના ધર્મપત્ની હસ્તે રેસ્ટોરન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમગ્ર આદિવાસી પ્રમુખ શ્રી ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, આદિવાસી નેતા નેતા કમલેશ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, પરમાર સાહેબ, તેમજ  નામાંકિત આગેવાનો હાજર રહ્યાં હતાં.  આ રેસ્ટોરન્ટ પ્યોર વેજિટેરિયન છે. જેમાં ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું મળશે તેમજ ફાસ્ટફૂડના શોખીનો માટે પણ તેમની મનભાવન ચીજો મળશે. તમામ સુવિધાઓથી સજ્જ. સુઘડતા અને સર્વિસને પ્રથમ પ્રાધાન્ય. કલ્પવંત રેસ્ટોરન્ટનો લાજવાબ ...

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
  ખેરગામ તાલુકાના જાણીતા ગુજરાત મિત્રના પત્રકાર જીગ્નેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ હોય "ખેરગામ બ્લોગર પોસ્ટ" તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

Image
  પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બોર્ડની એક્ઝામ નું પરિણામ જાહેરથયું છે. ત્યારે ખેરગામ તાલુકામાં રહેતી અને નવસારી શહેરની એબી સ્કૂલમાં ભણતી દ્રષ્ટિ પટેલ એ 600 ગુણ 582 મેળવી IIT માં જવાનું સપનું સેવી રહી છે. દ્રષ્ટિ પટેલ ના પિતા ખેરગામ નવા રોડ સ્થિત મોબાઈલ શોપ ચલાવે છે. જેમાં તે મોબાઈલ રીપેરીંગ અને વેચાણનું કામ કરે છે તેમ છતાં પિતાએ પોતાની દીકરીને બોર્ડના વર્ષમાં મોબાઇલથી દૂર રહેવાનું અપીલ કરી હતી. જેના પગલે દ્રષ્ટિએ સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ તહેવારકે કાર્યક્રમમાં ઓછી હાજરી આપી મહેનત કરી 99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. સખત પરિશ્રમની કોઈજ વિકલ્પ નથી.દ્રષ્ટિ પાસ થયા બાદ હવે ભવિષ્યમાં આગળ વધીને IITમાં એડમીશન મેળવવાની ઈચ્છા ધરાવે છે. માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેરકરવામાં આવ્યું હતું. જેમાં રાજયનું પરિણામ 64.62 % જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 64.7...

શિક્ષકે કહ્યું કે કોથળો પહેરીને દોડવું. પરંતુ એ ન કહ્યું કે......ઉપર કે નીચે પછી જે થયું તે જોવા જેવું.....

  શિક્ષકે કહ્યું કે કોથળો પહેરીને દોડવું. પરંતુ એ ન કહ્યું કે......ઉપર કે નીચે  પછી જે થયું તે જોવા જેવું.....

નવસારી જિલ્લામાં ધોરણ 10નું એસ.એસ.સી. બોર્ડનું નવસારી કેંદ્રનું સૌથી વધુ પરિણામ જ્યારે ખડસુપા કેંદ્રનું સૌથી ઓછુ પરિણામ.

Image
    જિલ્લામાં ધોરણ 10નું એસ.એસ.સી. બોર્ડનું  નવસારી કેંદ્રનું સૌથી વધુ પરિણામ જ્યારે ખડસુપા કેંદ્રનું સૌથી ઓછુ પરિણામ. સમગ્ર નવસારી જિલ્લાનું પરિણામ  64.75%   છે. જે વર્ષ 2022માં  66.69%  અને  વર્ષ 2020માં   64.72% હતું.   નવસારી જિલ્લાનાં અમલસાડ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 697 વિદ્યાર્થીઓ પૈકી  689  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 480 વિદ્યાર્થીઓ પાસ થતાં  69.67% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022  કરતાં   -4.87% પરિણામ ઓછું આવ્યું છે. બિલિમોરા   કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1124   વિદ્યાર્થીઓ પૈકી  1122 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 791 વિદ્યાર્થીઓ પાસ થતાં  70.50% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 66.20% પરિણામ કરતાં   4.30% પરિણામ વધુ આવ્યું છે. ચિખલી   કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1682   વિદ્યાર્થીઓ પૈકી  1669 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 1042 ...

ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષની છોકરીએ હોલિવૂડમાં જગ્યા બનાવી, લાખો છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની.

Image
   મુંબઈની ધારાવી 1.5 મિલિયનની વસ્તી સાથે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે.  મુંબઈ એ મહેનતુ લોકો માટે પણ આશ્રયસ્થાન છે જેઓ ઘણા સપનાઓ સાથે સંઘર્ષ કરવા આવે છે.  ધારાવી સ્લેમ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.  ડોક્યુમેન્ટરી ફિલ્મો બની છે, સર્વે અને રિસર્ચ પણ થયા છે.  ધારાવીની 15 વર્ષની મલિશા ખારવા એ એક ઉદાહરણ છે કે જો નસીબ તેની સાથે હોય તો વ્યક્તિ કેટલી આગળ વધી શકે છે.  મલિશાએ હોલિવૂડમાં કોઈ ભારતીય ટીવી સિરિયલ કે ફિલ્મોમાં પ્રવેશ કર્યો નથી.  મલિશાએ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને એક ફેશન શોમાં રેપમાં જોયો હતો.  ત્યારે તે માત્ર પાંચ વર્ષની હતી.  આટલી નાની ઉંમરે, તેણે પોતાને ફેશન શોની દુનિયાનો એક ભાગ બનવાની કલ્પના કરી.  મલિશા નાનપણથી જ મોટા સપના જોતી હતી.  પરિવાર રોડ પર એક નાનકડા મકાનમાં રહેતો હતો.  એવા સમયે ગ્લેમરસ દુનિયામાં પ્રવેશવા માટે ગરીબીની વાસ્તવિકતા સિવાય બીજું કશું જ નહોતું જ્યારે બે સમયનું ભોજન પણ માંડ મળતું હતું.  આજે તે ઈન્સ્ટાગ્રામ પર 25000 ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પ્રભાવક છે.  અભિ...

ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે વૉલીબૉલ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
ખેરગામ । ધરમપુરના રાજપુરી તલાટીમાં યોજાયેલી નાની ઢોલડુંગરીતા.પ.બેઠક વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન-4માં રાજપુરી તલાટ પટેલ ફળિયું ટિમ ચેમ્પિયન થઈ હતી. જ્યારે રાજપુરી તલાટ દેસાઈ ફળિયું ટિમ રનર્સઅપ રહી હતી. રાજપુરી તલાટ, વિરવલ, નાની ઢોલડુંગરી,મોટીઢોલ ડુંગરી, મરઘમાળ મળી 11 ટિમો વચ્ચે રમાયેલીઆ ટુર્નામેન્ટની ચેમ્પિયન અને રનર્સઅપ ટિમને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી અપાઈ હતી.  આ અવસરે તા.૫.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ,ગામના સરપંચ પ્રફુલભાઈ,વિરવલના સરપંચ પ્રતિકભાઈ મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ, જામનપાડા ગામના સામાજિક અગ્રણી સુગ્નેશ વાઢું, આગેવાનો, આયોજકો નિલેશભાઈ, ડૉ.પાર્થ પટેલ, કમલ પટેલ, વિરૂ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, ચેતું પટેલ, કૃણાલપટેલ, સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

નાની ઢોલડુંગરી ખાતે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Image
   ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે છકલા ફળીયા યુવકમંડળ દ્વારા તારીખ 20-05-2023ની  રાત્રે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આખો કાર્યક્રમ વિસ્તારના આદિવાસી નેતા કલ્પેશપટેલની દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બંધારણમાં આપેલ હક અને અધિકાર અંગે માહિતી આપવામાંઆવી હતી. આ કાર્યક્રમમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપ ગરાસિયા, રૂઢિ ગામ સભાના અધ્યક્ષ રમેશભાઇ, ડો. નીરવ પટેલ છાંયડો હોસ્પિટલ ખે૨ગામના સંચાલક, વાંસદા સરપંચ સંઘપ્રમુખ મનીશભાઇ, ધરમપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ, ઉત્પલ ચૌધરી, જયેન્દ્ર ગાવીત, મનાલા સરપંચ, બામટી સરપંચ વિજયભાઇ, નાની ઢોલ ડુંગરી સ૨પંચ યોગેશભાઇ, વિરવલ સરપંચ પ્રતિકભાઇ, રાજપુરી તલાટ સરપંચ  પ્રફુલભાઇ, ડોકટ૨ સંજય પટેલ, કમલેશ ૫ટેલ, દિનેશભાઇ પીપલખેડ,રાકેશભાઇ વાંકલ અને એમની ટીમ,આદિવાસી સગઠન ધરમપુરના વિનોદભાઇ અને એમની સાથી મિત્રો, ઘેજ ગામના રાકેશભાઇ અને એમના સાથીમિત્રો, જયેશભાઇ ખેરગામ, ડ...

No ટી-શર્ટ, જિન્સ, લેગિંગ્સ: આસામ સરકાર દ્વારા સંચાલિત શાળાઓના શિક્ષકો માટે ડ્રેસ કોડ રજૂ કરાયો

Image
   આસામ સરકારે શનિવારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકો માટે ડ્રેસ કોડ લાવવાની સૂચના જારી કરીને કહ્યું કે શિક્ષકોએ શાળાઓમાં માત્ર ઔપચારિક ડ્રેસ પહેરવો જોઈએ.  રાજ્ય સરકારના શાળા શિક્ષણ વિભાગ વતી રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેરનામામાં પુરૂષ અને મહિલા શિક્ષકોને શાળાઓમાં ટી-શર્ટ, જીન્સ, લેગિંગ્સ વગેરે ન પહેરવા જણાવ્યું છે.  નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષક પાસેથી તમામ પ્રકારની શિષ્ટાચારનું ઉદાહરણ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને તેમની ફરજો નિભાવતી વખતે, શાળાઓમાં ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી બન્યું છે.  “તે સરકારનાં ધ્યાન પર આવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક શિક્ષકો તેમની પસંદગીના ડ્રેસ પહેરવાની આદતમાં જોવા મળે છે જે કેટલીકવાર લોકો દ્વારા સ્વીકાર્ય નથી લાગતું.  ખાસ કરીને તેમની ફરજો નિભાવતી વખતે શિક્ષક દરેક પ્રકારની શિષ્ટાચારનું ઉદાહરણ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે, તેથી ડ્રેસ કોડનું પાલન કરવું જરૂરી બન્યું છે જે કાર્યસ્થળ પર શિષ્ટાચાર, શિષ્ટાચાર, વ્યાવસાયિકતા અને ઉદ્દેશ્યની ગંભીરતા દર્શાવે છે.  શાળા શિક્ષણ વિભાગના સ...

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર

Image
  સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર     વધુ વિગત માટે અહીં :   ક્લિક કરો.

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

Image
                                      ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભા...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

Image
  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. તારીખ :૦૭/૦૫/૨૦૨૩નાં દિને  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. આદિવાસી ધોડિયા સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય છે ત્યારે ધોડિયા સમાજના વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઈ તેવા સમાજના અગ્રણીઓના અને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના સહિયારા પ્રયાસથી રાનકુવા સુરખાઈ  ગામે ૨૫માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું.  જેમાં ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવાહ સંપન્ન કરાયા હતા. સુરત કડોદરાનાં પી.એસ. આઇ. શ્રી રાકેશભાઈ પટેલ તથા તેમનાં ધર્મપત્ની દ્વારા કલશપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમાજના સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નમાં યોગદાન આપનારા તમામ દાતાઓનુંસન્માન કરવામાં આવ્યું હતું. તથા સમાજનાં દાતાશ્રીઓના હસ્તે યુગલોને કન્યાદાન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓશ્રી તરફથી અંદાજિત  ત્રણ લાખ જેટલી રકમ દાન સ્વરૂપે  મળેલ જે બાબત 'સમાજ પ્રગતિ તરફ છે, તેની ઓળખ ઊભી કરે છે.'  ...

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP શ્રી એ.કે.વર્મા સાહેબના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

Image
   તા.05/05/2023 ના દિને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP  શ્રી એ.કે.વર્મા સાહેબના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આવેલ વેપારીઓ સરપંચશ્રી દ્વારા વિવિધ રજુઆત કરેલ પ્રશ્નોના નિરાકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. અને DYSP શ્રી દ્વારા આગામી દિવસોમાં 7500 જેટલી પોલીસ વિભાગમાં ભરતી થવાની હોય જેથી આ ભરતી અંગે તૈયારી કરતા યુવાનો-યુવતીઓને માહિતી આપવામાં આવી તથા કોઈને પણ આ બાબતે માર્ગદર્શનની જરૂર પડશે તો અમારો પુરો સહકાર મળશે હૈયાધારણા આપવામાં આવી હતી.  ધરમપુર PSI શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા ચેતવણી આપી હતી કે કોઈ પણ અજાણ્યા વિડિઓ કોલ આવે તો ઉપાડવા નહિ તેમજ  અજાણ્યા કોઈ પણ ફોન લોન માટેનો કે અન્ય કામ માટે OTP  માંગે તો આપવું નહિ જેવી ફ્રોડ બાબતે જાણકારી આપી હતી.   કોઈ પણ સ્થળે હું પોલીસ છું એમ કહી કોઈના પણ ઘરેણાં ઉતારવા કહે તો ઉતારવું નહિ કારણ કે પોલીસ કોઈ પણ દિવસ ઘરેણાં ઉતરાવવા કહેતી નથી. જે બાબતે ખાસ ધ્યાન દોર્યું હતું.જ્યાં DYSP શ્રી ને ધરામપુર નગરપાલિકામાં રખડતા ઢોરોના કારણે ઘણા લોકો અકસ્માતના ભોગ બન્યા હોય જેથી ઘટતું કરવાની કલ્...

સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.

Image
  વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી. ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા.  વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની  જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સાયન્સની...