Skip to main content

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

તારીખ :૦૭/૦૫/૨૦૨૩નાં દિને  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

આદિવાસી ધોડિયા સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય છે ત્યારે ધોડિયા સમાજના વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઈ તેવા સમાજના અગ્રણીઓના અને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના સહિયારા પ્રયાસથી રાનકુવા સુરખાઈ  ગામે ૨૫માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. 

જેમાં ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવાહ સંપન્ન કરાયા હતા. સુરત કડોદરાનાં પી.એસ. આઇ. શ્રી રાકેશભાઈ પટેલ તથા તેમનાં ધર્મપત્ની દ્વારા કલશપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમાજના સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નમાં યોગદાન આપનારા તમામ દાતાઓનુંસન્માન કરવામાં આવ્યું હતું. તથા સમાજનાં દાતાશ્રીઓના હસ્તે યુગલોને કન્યાદાન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓશ્રી તરફથી અંદાજિત  ત્રણ લાખ જેટલી રકમ દાન સ્વરૂપે  મળેલ જે બાબત 'સમાજ પ્રગતિ તરફ છે, તેની ઓળખ ઊભી કરે છે.'  ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સમગ્ર આદિવાસી સમાજના પ્રમુખશ્રી પ્રદીપભાઈ ગરાસિયા આ સમુહ લગ્નમાં ઉપસ્થિત રહી ૧૦ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહ લગ્નોત્સવમાં લગભગ ૪૦૦૦ કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી.   

નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલ ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને સામાજિક આગેવાનો

ધોડિયા સમાજના લોકોને વધુને વધુમાં મદદરૂપ બની શકાય તેવા ધ્યેય સાથે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા મંડળ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમૂહ લગ્ન સહિત અનેક પ્રકારની શ્રેષ્ઠ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞમાં સહભાગી વસ્તુ  કે રોકડ  સ્વરૂપે આપેલ દાતાશ્રીઓનું શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.તથા ધોડિયા સમાજનાં લગ્નમાં વધી રહેલા ખર્ચાઓ બંધ કરી વધુમાં વધુ લોકોને સમૂહલગ્નનો લાભ લેવા આહવાન કરવામાં આવે છે. 

આ કાર્યક્રમને  સફળ બનાવવા મંડળનાં તમામ કારોબારી સભ્યો અને  ઇજ્નેર ગૃપનાં સભ્યોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે, 

નવ યુગલો સાથે મંડળના હોદ્દેદારો
       નવ યુગલોને આપવામાં આવેલ કન્યાદાન


Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...