Posts

Showing posts from September, 2023

વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ.

Image
   'વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ.                       Don hill station Dang  આમ તો પ્રવાસ એટલે ફરવું, સ્થાનાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઘરથી દૂર જવું વગેરે. તેને મુસાફરી કે યાત્રા પણ કહી શકાય. માનવજીવનમાં એકધારી, એકસરખી પ્રવૃત્તિઓને કારણે કંટાળો ઊપજે ત્યારે તેનાથી અળગા થઈને મનને તરોતાજા, પ્રફુલ્લિત જો કોઈ બનાવતું હોય તો તે પ્રવાસ-પર્યટન છે. આબાલવૃદ્ધ સૌને મનગમતા સ્થળે જવું ગમતું હોય છે.જીવનઘડતરમાં અને શિક્ષણમાં પ્રવાસ-પર્યટનનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રવાસ-પર્યટનથી નવો ઉત્સાહ,નવું જોમ આવે અને કાર્યદક્ષતામાં વધારો થાય છે. આથી જીવનમાં પ્રવાસ કે પર્યટનની મજા માણવી જરૂરી છે.                                Girmal waterfall        પ્રવાસ એટલે કોઈ પણ સ્થળને જોવું, જાણવું અને મન ભરીને માણવું. જીવનની સઘળી ચિંતાઓ થોડો સમય વિસારે મૂકી,મિત્રો સાથે કે પરિવાર સાથે મોજ,મસ્તી,આનંદપૂર્વક મુકત મને વિહરવું એટલે પ્રવાસ-પર્યટન.દરેક વ્...

મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.

Image
       મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ. કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું.  સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

Image
‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે...

પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન.

Image
    પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન. --- વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો દર્શાવ્યાં. ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ભાષા સંવર્ધન, સજ્જતા અને સંરક્ષણ માટે પ્રતિષ્ઠાનના અગ્રણી અને બાળ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહના સહજ, સરળ અને રસપ્રદ સંચાલન દ્વારા પારડીની શ્રી બ્રહ્મર્ષિ સાતવળૅકર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સ્વાધ્યાય મંડળ ખાતે એક દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ હતી.  કાર્યશાળાના ઉદ્ઘાટન અવસરે સ્વાધ્યાય મંડળના અગ્રણી અને સંસ્કૃત બોર્ડના સભ્ય રાજેશભાઈ રાણાએ માતૃભાષા ગુજરાતીના હર્ષદભાઈ શાહના અનન્ય ભાષા પ્રેમ અને કૌશલ્ય દ્વારા શિક્ષણથી સૌ ગૌરવાન્વિત થશે એવી કામના સાથે ગંધાક્ષત અને સ્મૃતિભેટથી હાર્દિક સ્વાગત કર્યું હતું. ચાર સત્રીય કાર્યશાળામાં એક એક વર્ણના મહત્વ સાથે વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની રસપ્રદ સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો પોતાની અનોખી શૈલીમાં દર્શાવ્યાં હતાં. જોડણીના વિવિધ નિયમો સમજાવી એક જ્ઞાન...

‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.

Image
    ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.  સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્ડ વોશ, મામાભાચા ગામમાં સ્વચ્છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા.  વાપી તાલુકાના છીરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ  ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છતા હી સેવામાં" સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો.  સ્...

વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું.

Image
     વલસાડ જિલ્લાના વિવિધ સ્થળો પર ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું. --- વર્લ્ડ ટુરીઝમ ડે નિમિત્તે જિલ્લા પ્રવાસન સ્થળો પર રંગોળી અને શપથ સહિતના કાર્યક્રમો થયા   સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે તા. ૨૭ સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના ૬ તાલુકાઓમાં પર્યટન સ્થળો જેવા કે મહાદેવ મંદીર બરુમાળ, વિલ્સન હિલ, પારનેરા ડુંગર, નારગોલ બીચ, ફલધરા જલારામ ધામ, તિથલ, ઉદવાડા, કોલવેરા, કુંતેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર ધમડાચી જેવા સ્થળો પર શ્રમદાનની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળોની સાફ-સફાઇ, સ્વચ્છતા શપથ, હેન્ડવોશ અને રંગોળી વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી. સરકારી સંપત્તિઓના સમારકામ, રંગ-રોગાન, સાફ-સફાઇ અને બ્રાન્ડિંગ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નિષેધ કરવા તેમજ સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આય...

ખેરગામ કુમાર શાળામાં સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Image
  ખેરગામ કુમાર શાળામાં  સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત  સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. તારીખ :૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળામાં મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન ખેરગામ તાલુકા પંચાયતનાં  ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારશ્રીનીઆગવી યોજના જે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાય છે. જે શાળા soe માં પસંદગી પામી હોય તેવી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સ્માર્ટ બોર્ડ હોય છે જે ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે. જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેમાં ડિજિટલ રાઈટિંગ કરી શકાય અને રબરની જેમ સાફ પણ થઈ શકે છે. જેમાં ઓનલાઇન ઓડિયો વીડિયો, YouTube, google search,G-shala program જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને બાળકો પણ ઓપરેટ કરી શકે છે.

ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

Image
    ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. તારીખ : ૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ ગામની પહાડ ફળિયા આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીનું મકાન ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હોય નવા મકાનની માંગણી કરવામાં આવી હતી.જે માંગણી સરકારશ્રી દ્વારા મંજૂર કરાતાં ખેરગામ તાલુકાનાં નવા વરાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે આંગણવાડીનાં મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.        જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અને ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ગામના આગેવાનશ્રી ધનસુખભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, પહાડ ફળિયા આંગણવાડીનાં કાર્યકર, વેણ  ફળિયા આંગણવાડીના કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

Image
    નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.   નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ ડૉ.નિરવ પટેલ કે જેઓ વ્યવસાયે તબીબ હોવાં છતાં સમાજસેવા સાથે જોડાયેલા છે. અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર આવેલી મુશ્કેલીઓ કે દુઃખમાં ભાગીદાર થઈ મદદ કરતાં રહે છે. "માનવ સેવા એજ પ્રભુ સેવા" નું સૂત્રને જીવનમાં વણી લીધું હોવાનું પ્રતીત થાય છે. નવસારી જિલ્લાના વતની અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મિનેશભાઇ પટેલ કે જેઓ શિક્ષણની સાથે સાથે સમાજસેવા સાથે પણ જોડાયેલા છે. જેમણે સંકલ્પ એજ્યુકેશન ગૃપની રચના કરી છે. જેમાં સેવાભાવી કર્મચારીઓ જોડાયેલા છે.   આ નવસારી સમસ્ત આદિવાસી ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપના સયુંક્ત ઉપક્રમે આ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.  જે કાર્યક્રમમાં ડૉ. નિરવ પટેલ પોતાની વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યા નહોતા.  પરંતુ સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોની મુલાકાત લેવામાં એવી હતી. જેમાં સૌપ્રથમ નર્મદ...

અનેક મનોરમ્ય ધોધના કારણે વલસાડ જિલ્લાએ પર્યટકોમાં નવી ઓળખ મેળવી.

Image
  આજે વિશ્વ પ્રવાસન દિવસઃ અનેક મનોરમ્ય ધોધના કારણે વલસાડ જિલ્લાએ પર્યટકોમાં નવી ઓળખ મેળવી. તા. ૨૮ સપ્ટેમ્બરને દુનિયાભરમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરવાનો પણ છે. દર વર્ષે થીમ આધારિત પ્રવાસન દિવસની ઉજવણી થતી હોય છે          ત્યારે આ વર્ષની થીમ ટુરિઝમ એન્ડ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટલની છે. ત્યારે આજના દિવસે વાત કરીએ ગુજરાતના છેવાડાના નાનકડા જિલ્લા વલસાડની વાત કરીએ તો, કુદરતે વલસાડને અખૂટ સૌંદર્યની સાથે નદી, ધોધ,સમુદ્ર, ડુંગરો, લીલાછમ જંગલો સહિત પ્રકૃતિની ભેટ આપી છે. આ સિવાય ધાર્મિક અને મનોરંજનની દ્રષ્ટીએ પણ વલસાડ જિલ્લામાં એવા અનેક સ્થળો છે જે પર્યટકોને વલસાડ તરફ ખેંચી લાવે છે.         મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની સરહદ પર આવેલા વલસાડ જિલ્લાને પ્રકૃતિની અમૂલ્ય દેન છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશોમાં અદભૂત મનોરમ્ય ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે.        જેમાં ખાસ કરીને ધરમપુરના બિલપુડીના જોડીયા ધ...