Posts

Showing posts from November, 2023

શાળાને જીવંત રાખનારા તત્ત્વો કયા છે?

 શાળાને જીવંત રાખનારા તત્ત્વો કયા છે? શાળા એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવંત અસ્તિત્વથી ધબકતી જગ્યા, જ્યાં ચહલપહલ ન હોય, કલરવ ન હોય, પ્રવૃત્તિ ન હોય, નવા વિચારોના અમલીકરણ માટે પ્રયોગો ન થતા હોય, જ્યાં બધું સૂમસામ હોય, તે જગ્યા કદી પણ જીવંત શાળા ન હોઈ શકે. જીવંત શાળા એટલે આદર્શ સમાજની લઘુઆવૃત્તિ. આપણે જેવો સમાજ જોવા ઈચ્છીએ છીએ, એ સમાજના બધા જ ઘટકોનો સમાવેશ સુયોગ્ય રીતે થયેલો હોય તે શાળા એટલે ધબકતી શાળા. શાળાને ધબકતી રાખવા માટે ભૌતિક સંસાધનો તો જરૂરી છે જ, પરંતુ સાથોસાથ શાળા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓના માનસમાં યોગ્ય ભાવજગતનું નિર્માણ થાય તે પણ એટલું જ જરૂરી છે. ભાવજગતની વાત કરીએ તો શાળાના સંચાલક, આચાર્ય, શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, આ દરેક વ્યક્તિઓના મનમાં આ શાળા એ ‘મારી શાળા’ છે, તેવા ભાવનું નિર્માણ થવું જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ મારી   છે એવું લાગવા માંડે, ત્યારે આપમેળે તેના વિકાસ માટે, તેની જાળવણી માટે,તેના સંવર્ધન માટેના પ્રયત્નો આપોઆપ થવા લાગતા હોય છે. મારાપણાનો ભાવ એ શાળાની જીવંતતા માટે અનિવાર્ય છે. એક ડગલું આગળ વધીને કહીએ તો ‘અમાર...

ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
         તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે  રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના  માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી  ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર ર...

ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું.

Image
                    ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો વિતરણ કરાયા ખેરગામ,ખેરગામ તાલુકાના વાડ ગામ ખાતે આવેલ રામજી ભૂતબાપાના મંદિરે આજે ગુરૂવાર ના રોજ ૨૩મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂજા હવન કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન પાછલા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.અને મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ રક્તદાન પણ કરવા માટે  ઉમટી પડી હતી.જેમાં 296 જેટલી બોટલ એકત્રિત થઈ હતી.રક્તદાન કરનારા રક્તદાતાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે બાઈક તેમજ સાયકલ જેવા ઈનામો રાખવામાં આવ્યા હતા. જ્યારે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે નાના પાણીના કુલરો પણ આપવામાં આવ્યા હતા.સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પણ વાડ ગામના લોકોએ લાભ લીધો હતો આ પાટોત્સવને સફળ બનાવવા ગામના આગેવાન ચેતન પટેલ,દિનેશ પટેલ તેમજ અન્ય આગેવાનો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ ખેરગામ મામલતદાર દલપતભાઈ તેમજ ખેરગામના પીએસઆઈ ડી.આર.પઢેરીયા સહિતના આગેવા...

તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.

Image
         તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.  ઉષાબેનની સફળતાનનું શ્રેય સોસિયા પ્રાથમિક શાળાના શિક્ષક  ગોહિલ પ્રદીપસિંહ સુખદેવસિંહ અને આઈ. એસ. પરમાર તથા શાળા પરિવારના ફાળે.  કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના  નાનકડા એવા સોસિયા ગામની દીકરીએ સાબિત કરી દીધું છે. વિકલાંગ પિતાની દીકરીએ રસલીંગમા અનેક દેશોની સમક્ષ છોકરીઓને પછડાટ આપીને વિશ્વ ચેમ્પિયન બની છે. પહેલા રાજય,રાષ્ટ્રીય અને વિશ્વ લેવલે ગોલ્ડ મેડલ લાવીને અહીંની શાળા સહિત તળાજા પંથકમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ છે.જેમને આ સંદેશ આપ્યો છે. રશિયા મુકામે યોજાયેલ વર્લ્ડ ચેપલીંગ રેસલિંગ) ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું અને સોસિયા ગામનું ગૌરવ વધારનાર બારૈયા ઉષાબેન મનજીભાઈ કે જેઓનું પ્રાથમિક શિક્ષણ સોસિયા પ્રાથમિક શાળામાં કર્યું. ધોરણ ૧ થી ૬ સુધીના અભ્યાસમાં ખો-ખો અને એથ્લેટિક્સમાં ખૂબજ સારું પ્રદર્શન કરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રાયલ આપી પસંદ થયેલ. જેમાં તેઓને દેવગઢ બારિયા DL...

વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે.

Image
          વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરીંગ સંસ્થાને સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલય ટ્રેકીંગમાં માઉન્ટ ફેન્ડશીપ પીક હાઈટ સુધી પહોંચાડયા હતાં. વાંસદા પ્લેયર ક્રિકેટ એસોસિએશન   અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી-સરા વાંસદા તાલુકાના યુવાધન બેઝિક, એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરી છે, વાંસદાની કાજલ માહલાએ હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો લહેરાવ્યો હતો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ કોર્સ તારીખ ૨૮ જુનથી ૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો. એમાં રોક કલાઈમ્બિંગ અને સ્ટ્રીમ ક્રોસિંગ, આઈસ સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ, સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા પહેલા ક્રમે રહી હતી. ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખા...

ગુજરાતનો અલગ અને અનોખો આદિવાસી સમાજ સીદી સમાજ.

Image
                    સીદી સમુદાય image source: google સીદી પ્રજાનું આપણે ત્યાં આગમન, નિવાસ અને ગુજરાતી બનીને અહીં દૂધમાં સાકરની જેમ ભળી જવું, એ વાતનો ઇતિહાસ પાંચસોથી વધુ વરસના કાળખંડમાં પથરાયેલો છે. ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વસેલી આ પ્રજાના અહીંના આગમન બાબતે, એક કરતાં વધુ થિયરીઓ પ્રચલિત છે. કોઈ કહે છે કે, ધંધાર્થે સાગર ખેડી દૂર દરિયાપારના દેશોમાં વેપાર કરવા ગયેલ આપણાં ગુજરાતી પૂર્વજો તેમની સાથે આ પ્રજાને ગુજરાતમાં લઈ આવેલા. બીજા એક મત અનુસાર આપણે ત્યાં આવેલા આરબો, પોર્ટુગીઝો અને અંગ્રેજો આ પ્રજાને કામ કરવા અર્થે લઈ આવેલા.  આરબો, પોર્ટુગીઝો અને અંગ્રેજો જે દેશમાં જાય ત્યાં ત્યાં ગુલામો તરીકે સીદી પ્રજાને સાથે લઈ જતા હતા. બસ, એ રીતે તેઓ આ પ્રજાને પણ આપણે ત્યાં લઈ આવેલા. ગુલામ તરીકે આવેલી આ પ્રજા અહીં નોકર, સુરક્ષાકર્મી અને રાજા તથા નવાબના અંગત વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે રહીને ઠરીઠામ થઈ છે.  Image source:google એક મત મુજબ આફ્રિકા ખંડની મૂળ વતની આ પ્રજા ગઝનવીના ભારત પરના આક્રમણ સમયે તેની સાથે અહીં આવેલી. નગારાવાદક...

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટજગતમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો.

Image
  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટજગતમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો. ભારતની ક્રિકેટ ટીમમાં ગુજરાતી ક્રિકેટરનો દબદબો તો છે જ. સાથે વિશ્વ ક્રિકેટમાં પણ ઘણા ગુજરાતી મૂળના ક્રિકેટર અન્ય દેશોની રાષ્ટ્રીય ટીમમાં રમી ચૂક્યા છે અથવા હાલમાં રમી રહ્યા છે. ભારતની વન-ડે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેર થઇ ત્યારે તેમાં ચાર ગુજરાતી ક્રિકેટર હતા. જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ, ઇજાના કારણે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયા.  અક્ષર પટેલ જશપ્રીત  બુમરાહ હાર્દિક પંડ્યા  રવિન્દ્ર જાડેજા  તેમ છતાં હાલમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે મુળ ગુજરાતી હોય તેવા ક્રિકેટરનો પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દબદબો છે. 35 જેટલા મૂળ ગુજરાતી ક્રિકેટરે અન્ય દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.  તેમાં મૂળ સુરતના દિગ્ગજ બેટર હાશિમ અમલાથી લઇ આણંદમાં જન્મેલા અને હાલમાં અમેરિકાની ક્રિકેટ ટીમના સુકાની મોનાક પટેલનો સમાવેશ થાય છે. સૌથી વધુ ગુજરાતી મૂળના 8 ક્રિકેટર કેન્યા માટે રમી ચૂક્યા છે.  અમેરિકાની ક્ર...

ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા.

Image
    ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા. આજ રોજ તા 19 /11/2023 ના રવિવારના રોજ નવસારી જિલ્લાની થર્ડ માસ્ટર એથ્લેટીક્સ  સ્પર્ધા મદરેસા હાઈસ્કૂલ નવસારી ખાતે  યોજાઈ હતી.  જેમાં ખેરગામ તાલુકામાં થી ખેરગામ કુમારશાળાના રીટાયર્ડ શિક્ષકશ્રી મણિલાલ  પટેલ, ખેરગામ નાંધઈ વાળી ફળિયાના વતની એવા નિવૃત  S.T. કર્મચારીશ્રી બાબુભાઈ પટેલ તથા ખેરગામ  બહેજ પ્રાથમિક  શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલે ભાગ લીધો હતો.  શ્રી મણિલાલ પટેલ 60 વર્ષથી  વધારે ઉમરના વયજૂથ કેટેગરીમાં ભાગ લઈ 400 અને 800 મી દોડમાં દ્વિતીય નંબર, શ્રી બાબુભાઈ પટેલ 70 વર્ષ થી વધારે ઉમરના વયજૂથમાં ભાગ લઈ 400 તથા 800 મી દોડમાં પ્રથમ ક્રમ તથા  શ્રી પ્રવિણભાઈ પટેલે 55 વર્ષ થી વધારે ઉમરના કેટેગરીમાં ભાગ લઈ 400મી તથા 800મી દોડમાં પ્રથમ ક્રમે જીત મેળવી હતી.  જેમાં પ્રવીણભાઈ પટેલ બે  ગોલ્ડ મેડલ, બાબુભાઈ પટેલ બે ગોલ્ડ મેડલ અને મણીલાલ પટેલ બે સિલ્વર મેડલ મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે.  હવે પછી તેઓ રાજ...