Skip to main content

Posts

Showing posts with the label Shikshan charcha

શિક્ષણની અધૂરી પ્રક્રિયાને કોણ પૂરી કરશે?

 કોઈપણ સમાજ વિશે ભવિષ્યવાણી કરવી હોય કે જે તે સમાજ આજથી દસ, વીસ કે પચાસ વર્ષ પછી કેવો હશે તો તેના માટે આજે વર્તમાન સમયમાં એ સમાજના લોકો કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તે જાણવું પડે.  શિક્ષણ એ પેઢી નિર્માણનું કાર્ય છે. આજે સમાજમાં દેખાતી બદીઓ કે સમસ્યાઓનું મૂળ એ આજથી દાયકા-બે દાયકા પહેલા અપાયેલા શિક્ષણનું પરિણામ છે અને જો સમાજનું આવું ચિત્ર અનિચ્છનીય હોય, ન ગમતું હોય તો ચોક્કસપણે આપણે આજની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કરવું પડે. શિક્ષણની પ્રક્રિયા જીવનલક્ષી બનવી જોઈએ. વિષયોનું જ્ઞાન એ જીવન જીવવા માટે પૂરતું નથી. વ્યવસાયિક કૌશલ્યો રોજગારી અપાવી શકે પરંતુ જીવનને સફળ બનાવવા માટે તો જાતે જ ચિંતન કરવું પડે.  આજનું શિક્ષણ ચિંતનપ્રેરક બની રહે તેવા પ્રયત્નો થવા જોઈએ. સમાજમાં વધતા જતા આપઘાતના બનાવો સ્પષ્ટ સૂચવે છે કે વ્યક્તિ જીવનને યોગ્ય રીતે સમજ્યો જ નથી. ઘણીવાર એવું પણ લાગે છે કે આપણે ખોટું શિક્ષણ તો નથી આપી રહ્યા ને ? આજનો વિદ્યાર્થી માહિતીના ભાર હેઠળ કચડાઈ જાય તેટલી હદે શિક્ષણ ભારેખમ બની ગયું છે. મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે ભણેલા ગણેલા લોકોની સંવેદનહીનતાએ સમાજ માટે ચિંત...