Skip to main content

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

  પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે.


આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બોર્ડની એક્ઝામ નું પરિણામ જાહેરથયું છે. ત્યારે ખેરગામ તાલુકામાં રહેતી અને નવસારી શહેરની એબી સ્કૂલમાં ભણતી દ્રષ્ટિ પટેલ એ 600 ગુણ 582 મેળવી IIT માં જવાનું સપનું સેવી રહી છે. દ્રષ્ટિ પટેલ ના પિતા ખેરગામ નવા રોડ સ્થિત મોબાઈલ શોપ ચલાવે છે. જેમાં તે મોબાઈલ રીપેરીંગ અને વેચાણનું કામ કરે છે તેમ છતાં પિતાએ પોતાની દીકરીને બોર્ડના વર્ષમાં મોબાઇલથી દૂર રહેવાનું અપીલ કરી હતી. જેના પગલે દ્રષ્ટિએ સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ તહેવારકે કાર્યક્રમમાં ઓછી હાજરી આપી મહેનત કરી 99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. સખત પરિશ્રમની કોઈજ વિકલ્પ નથી.દ્રષ્ટિ પાસ થયા બાદ હવે ભવિષ્યમાં આગળ વધીને IITમાં એડમીશન મેળવવાની ઈચ્છા ધરાવે છે.


માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેરકરવામાં આવ્યું હતું. જેમાં રાજયનું પરિણામ 64.62 % જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 64.75 % રહ્યું.નવસારી જિલ્લામાં 162 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 999 વિદ્યાર્થીઓએ A2ગ્રેડ મેળવ્યો છે જેમાંથી એ બી સ્કૂલ ના76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 234 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તથા પટેલઇરા કિનકરકુમાર અને ડોબરિયા દિયા પારસકુમાર બંનેએ 600 માંથી 579 ગુણ સાથે 96.50 % તથા 99.99 PR Rank મેળવી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તથા પટેલ અંશ શૈલેશકુમારે 600 માંથી 578 ગુણ સાથે 96.33 %તથા 99.98 PR Rank મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. 



More news :gujarati.news18.com 

                       S24 news 

                       Navsari live 

                       Divya Bhaskar


Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...