ખેરગામ કોલેજમાં એન્ટી-રેગિંગ ડે અને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી ખેરગામ, તા. 12 ઓગસ્ટ, 2026: સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે તા. 12 ઓગસ્ટના રોજ એન્ટી-રેગિંગ ડે અને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની સંયુક્ત ઉજવણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રત્યે કાયદાકીય તથા સામાજિક સમજ વિકસાવવા તેમજ પુસ્તક અને ગ્રંથાલય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રતિનિધિ મંડળના એડવાઇઝર એડવોકેટ શ્રી નિકુંજ ભરતીયા એ રેગિંગ વિરોધી કાયદા અને નિયમો અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે રેગિંગથી વ્યક્તિના શૈક્ષણિક જીવન, માનસિક સ્થિતિ તથા સમગ્ર કેમ્પસના વાતાવરણ પર પડી શકતી પ્રતિકૂળ અસરો અંગે સમજ આપી હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની રેગિંગની ઘટના સામે સતર્ક રહેવા અને આવી બાબત જણાય તો યોગ્ય માધ્યમથી જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં દરેક વિદ્યાર્થીને સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણ મળવું જરૂરી છે....
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટની સેવાકીય પહેલ ત્રણ ગામોના 350થી વધુ બાળકોને રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ગણદેવી/બીલીમોરા, તા. 9 ઓગસ્ટ, 2026: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણદેવી અને બીલીમોરા નજીકના ત્રણ ગામોમાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ બાળકોને અંદાજે રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાઘરેચ, ક્લમઠા નાયકીવાડ ફળિયું અને ધમડાચા ગામોમાં બાળકોને નોટબુક, સ્કૂલબેગ, બોલપેન સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ કેટલાક પૂરપીડિત પરિવારોને બ્લેન્કેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર જેવી કુદરતી આફતના સમયમાં બાળકો અને અસરગ્રસ્ત પરિવારોને સહાય મળી રહે તે માટે ટ્રસ્ટ તથા સહયોગીઓ દ્વારા કર...