વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટની સેવાકીય પહેલ ત્રણ ગામોના 350થી વધુ બાળકોને રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ગણદેવી/બીલીમોરા, તા. 9 ઓગસ્ટ, 2026: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણદેવી અને બીલીમોરા નજીકના ત્રણ ગામોમાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ બાળકોને અંદાજે રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાઘરેચ, ક્લમઠા નાયકીવાડ ફળિયું અને ધમડાચા ગામોમાં બાળકોને નોટબુક, સ્કૂલબેગ, બોલપેન સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ કેટલાક પૂરપીડિત પરિવારોને બ્લેન્કેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર જેવી કુદરતી આફતના સમયમાં બાળકો અને અસરગ્રસ્ત પરિવારોને સહાય મળી રહે તે માટે ટ્રસ્ટ તથા સહયોગીઓ દ્વારા કર...
Khergam updates: ઉતાર ફળિયા વાડ પ્રાથમિક શાળામાં કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધા યોજાઈ. ખેરગામ, તા. 8 ઓગસ્ટ, 2026: ખેરગામ તાલુકાની ઉતાર ફળિયા વાડ પ્રાથમિક શાળા ખાતે તા. 8 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તે હેતુથી કેશ ગૂંથણ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ની દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીકરીઓએ પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર દીકરીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે શાળાના આચાર્યશ્રી વિજયકુમાર પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શાળામાં યોજાતી આવી રચનાત્મક અને કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનું મંચ પૂરું પાડે છે. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમની સર્જનાત્મક શક્તિઓને નવી દિશા મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાળા...