શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શામળા ફળિયા, ખેરગામના સામાજિક અગ્રણી આગેવાનશ્રી બાબુભાઈ દેવજીભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વિવિધ પાસાઓ અંગે ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પ્રવચનો રજૂ કર્યા હતા. આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાળકોના દેશભક્તિપૂર્ણ વક્તવ્યોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર અને વાલીઓએ બાળકોના ઉત્સાહ અને રજૂઆતને બિરદાવી હતી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવન...
ખેરગામ કોલેજમાં એન્ટી-રેગિંગ ડે અને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી ખેરગામ, તા. 12 ઓગસ્ટ, 2026: સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે તા. 12 ઓગસ્ટના રોજ એન્ટી-રેગિંગ ડે અને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની સંયુક્ત ઉજવણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રત્યે કાયદાકીય તથા સામાજિક સમજ વિકસાવવા તેમજ પુસ્તક અને ગ્રંથાલય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રતિનિધિ મંડળના એડવાઇઝર એડવોકેટ શ્રી નિકુંજ ભરતીયા એ રેગિંગ વિરોધી કાયદા અને નિયમો અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે રેગિંગથી વ્યક્તિના શૈક્ષણિક જીવન, માનસિક સ્થિતિ તથા સમગ્ર કેમ્પસના વાતાવરણ પર પડી શકતી પ્રતિકૂળ અસરો અંગે સમજ આપી હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની રેગિંગની ઘટના સામે સતર્ક રહેવા અને આવી બાબત જણાય તો યોગ્ય માધ્યમથી જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં દરેક વિદ્યાર્થીને સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણ મળવું જરૂરી છે....