Posts

Showing posts from November, 2025

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

Image
   આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અંભેટા, મ...

વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન.

Image
  વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં  સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન. પ્રેસ દિવસના અવસરે વલસાડ જિલ્લામાં ભવ્ય  સરપંચ સન્માન સમારોહ  યોજાયો હતો. પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કુલ  ૬૧ સરપંચશ્રીઓનું સન્માન  કરવામાં આવ્યું. આ સન્માન રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી  શ્રી કનુભાઈ દેસાઈ ના કરકમલેથી કરાયું હતું. કાર્યક્રમમાં માનનીય મહાનુભાવો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સરપંચમંડળ, ગ્રામજનો અને પ્રેસ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે  ખેરગામ ગામના મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલનું  પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ગામ વિકાસ માટેની દ્રઢ પ્રતિબદ્ધતા, લોકભાગીદારી દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન અને સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠો તેમજ મહિલા સશક્તિકરણ તરફના પ્રયાસોની વિશેષ નોંધ લેવાઈ હતી. શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના આશીર્વચન દરમ્યાન પ્રેસ દિવસના મહત્વને ...