Posts

Showing posts from July, 2023

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.

Image
    આજરોજ  તારીખ ૩૧-૦૭-૨ ૦૨૩નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તારીખ 26.07.23ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યાર બાદ તારીખ.27.07.2023 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં માત્ર 14 ઉમેદવારે  ઉમેદવારી ફોર્મ સાચા હતા જેમને નિશાન ની ફાળવણી કરવામાં આવી...તેમજ ધોરણ 5થી 8 માં બધા ઉમેદવારો એ પ્રચાર કર્યો... તથા આ માટે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિગ ઓફિસર, પટાવાળા, પોલીસ ની નિમણુંક કરવામાં આવી. મતદાન માટે  ધોરણ 5 થી 8 ના બાળકોની મતદાર યાદી તૈયાર કરવામાં આવી એને ત્યારબાદ તારીખ.31.07.23 ના રોજ   બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં મહા મંત્રી અને ઉપમહામંત્રી નક્કી કરવામાં આવ્યા તે લોકો એક મિટિંગ કરી આખું   મંત્રીમંડળ ની રચના કરી મંત્રી અને ઉપમંત્રી ની નિમણુક કરવામાં આવી હતી. તે લોકો ની વિવિધ ટુકડીના સભ્યો ની રચના કરી વિવિધ કામગીરી અંગે નો રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.. જેમાં મહામંત્રી અને ઉપમહામંત્રી ના કર્યો તેમજ મંત્રી ના કર્યો ની સમજણ આપવામાં આવી હતી... અંતે આજર...

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે આવેલ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.

Image
                              ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા                        કોરોના મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.એની ઘાતક અસરોમાંથી કેટલાંક પરિવારો હજુ સુધી બહાર આવી શક્યા નથી.આવો જ એક ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે ગરીબ પણ હસતો રમતો પરિવાર સ્વ.૨મેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનો હતો.પરંતુ વર્ષ ૨૦૨૨ માં બન્નેનું અકાળે નિધન થતાં, ૪ વર્ષની નાનકડી બાળકી નોંધારી બની ગઈ છે.હવે એ બાળકી વયોવૃદ્ધ દાદાદાદી સાથે છે.દાદા લાંબી માંદગીના કારણે પથારીવશ છે.જેમાંથી દાદા અને કાકા પણ માંદગીમાંથી હાલ જ થોડા સમય પહેલા સારા થયેલ છે અને કમાનાર માત્ર વયોવૃદ્ધ દાદી જ છે.            એ વાતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ  નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો.દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા,નિદિવ અને ધરમપુર ત...

ખેરગામ સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ કુમાર શાળા ખેરગામ ખાતે યોજાયો.

Image
   તારીખ : ૨૬-૦૭-૨૦૨૪નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં ખેરગામ સી.આર.સી.ની શાળાઓએ ભાગ લીધો હતો.            જેમાં ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અર્ચના કે.પટેલ, બાળકવિ સ્પર્ધામાં વાડ ઉતાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા એસ. આહિર ધોરણ-૭ પ્રથમ ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની મોહિની મુકેશભાઈ નાયક ધો.૮ પ્રથમ ક્રમાંક, સંગીત વાદન સ્પર્ધામાં ખાખરી ફળિયા પ્રા.શાનો વિદ્યાર્થી અમિતભાઈ દિલીપભાઈ ગાંવિત ધો.૮ પ્રથમ ક્રમાંક, વાર્તા કથન સ્પર્ધામાં કુમાર શાળાનો વિધાર્થી પથ  મનોજભાઈ પટેલ ધો.૨  ધોરણ ૩થી ૫ માં સાવર  ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જેની સુનિલભાઈ પટેલ અને વાર્તા લેખન સ્પર્ધામાં કન્યા  શાળાની વિદ્યાર્થિની ધૃવી  સુનિલભાઈ પટેલ ધો.૮ પ્રથમ ક્રમાંકે  આવી હતી આ  પ્રથમ ક્રમાંક મેળવેલ તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાનાં કલા ઉત્સવમાં ભાગ લેશે.

નારણપોર પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનાં કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

Image
    તારીખ ૨૭-૦૭-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે સી આર સી કક્ષાના  કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન સ્પર્ધા, સંગીત સંમેલન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાનો સમાવેશ થાય છે.                         આ વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૧૧ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં વાર્તા કથન સ્પર્ધા ધોરણ ૧,૨ માં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નાયસા ભાવેશભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વાર્તા કથન ધોરણ -૩ થી ૫ ધ્રુવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વાર્તા લેખન સ્પર્ધા ધોરણ ૬થી૮ એની મુકેશભાઈ પટેલ વાવ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                        જ્યારે ધોરણ ૬ થી ૮નાં કલા ઉત્સવમાં ૫ શાળાઓએ  ભાગ લીધો હતો. જેમાં સંગીત વાદન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પ્રીતમ અશ્વિનભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સિયા અન...

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
  આજરોજ તા.24/06/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે SMCના અધ્યક્ષ અને અનિલભાઇ અને શિક્ષણવિદ્  પ્રદિપ ભાઈ અને સમિતિ દ્વારા  ધરમપુર RFO શ્રી હિરેનભાઈ અને શક્તિસિંહ ચાવડાના હસ્તે વૃક્ષારોપણના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં હિરેનભાઈ દ્વારા સ્કૂલમાં આજે 11 શાળાનાં બાળકો આવ્યા હોય એમને અને ગ્રામજનોને પર્યાવરણની જાળવણી અંગે અને એનું મહત્વ અને જંગલ બચાવવા અંગેની માહિતી આપી અને અમારી SMC 5000 વૃક્ષો રોપવાનું આયીજન કરેલ હોય એમ પણ સહકાર આપવા માટે હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું, સાથે નીલમભાઈ (ખોબા ગામ) દ્વારા જણાવવામાં આવ્યું કે ઉનાળા દરમિયાન પાણી પીવડાવવા ની કામગીરીમાં અમે સહકાર આપીશુંની વાત કરી હતી. જેમાં ધરમપુર તાલુકા યુવા આદિવાસી સામાજિક કાર્યકર અને તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ,સભ્યશ્રી મગનભાઈ, સભ્યશ્રી,જયેશભાઇ, સભ્યશ્રી સુનિલભાઈ, સભ્યશ્રી મહેન્દ્રભાઈ સભ્ય સચિવ રાજેન્દ્રભાઈ સભ્યશ્રી કૌશિકભાઈ, અશોકભાઈ, હરિલાલ ભાઈ , પ્રિયંકાબેન સંગીતાબેન, જશોદાબેન, અનિષાબેન,સ્મિતાબે...

ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય.

Image
                  ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય. ખેરગામ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઝરણાબેન પટેલના અને ડેપ્યુટી સરપંચ તરીકે વોર્ડ નં.8 ના સભ્ય સુરેશભાઈ પટેલ વહીવટ સંભાળતા આવ્યા છે.પરંતુ સુરેશભાઈ પટેલે થોડા દિવસ પુર્વે પોતાના અંગત કારણસર અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા પંચાયતમાં નવા ડેપ્યુટી સરપંચ માટે અંદરખાને રાજકીય માહોલ ગરમાયો હતો. ડેપ્યુટી સરપંચની ગત ચૂંટણીમાં પોતાના હરીફ વોર્ડ નં.13 ના સભ્ય  જીગ્નેશ પટેલથી એક એકમાત્ર મતે આગળ રહી ડેપ્યુટી સરપંચ તરીકે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.તેમના રાજીનામાને પગલે નવા ડેપ્યુટી સરપંચ માટે સોમવારે 12:30 કલાકે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં પેટા ચૂંટણી રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ 13 ના જીગ્નેશ પટેલે આ વખતે ફરીથી ડેપ્યુટી સરપંચના હોદ્દા માટે ઉમેદવારી કરી હતી,જ્યારે તેમની સામે વોર્ડ નં 11 ના સભ્ય શૈલેષભાઇ વજીરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.ખેરગામ ગ્રામ પંચાયતમાં 16 વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં શૈલેષ પટેલ તરફી સાત સ...

બધું સ્વયંસંચાલિત થઈ શકે છે!

 'બધું સ્વયંસંચાલિત થઈ શકે છે...': આ 'જોયું' શૈલીની બાંધકામ પદ્ધતિ નેટીઝન્સ પર જીત મેળવે છે વિશ્વ ઓટોમેશન તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોવા છતાં, ભારતીય ઉપખંડમાં હજુ પણ ઘણી વસ્તુઓ મેન્યુઅલી કરવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં, લોકપ્રિય Twitter એકાઉન્ટ Tansu Yeğen (@TansuYegen) દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયો દર્શાવે છે કે કેવી રીતે બાંધકામ કામદારોના જૂથે સી-સૉ જેવા સેટઅપનો ઉપયોગ કર્યો હતો જે તેમને લગભગ સ્વયંસંચાલિત રીતે ઈંટની દિવાલ બનાવવાની મંજૂરી આપે છે. આ અનડેટેડ ક્લિપ શેર કરતી વખતે, તાનસુ યેગેને કહ્યું, "બધું સ્વચાલિત થઈ શકે છે..". આ વીડિયો ક્યાં લેવામાં આવ્યો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ તેને 19,000 થી વધુ લાઈક્સ મળી છે. જો કે, ઘણા લોકોએ વિચાર્યું કે વિડિયો વ્યવહારિક કરતાં વધુ યુક્તિભર્યો હતો. આ ભાવનાનો પડઘો પાડતા, એક ટ્વિટર યુઝરે લખ્યું, "મને નથી લાગતું કે હાહાહાહા કરવા માટે આ ખૂબ જ અસરકારક રીત છે," અન્ય વ્યક્તિએ લખ્યું, "નાહ, આ ચોક્કસપણે વધુ સ્માર્ટ નહીં પણ સખત મહેનત કરી રહ્યું છે. પાછળના 2 બધા સખત મહેનત કરી રહ્યા છે. Everything can be automa...

પેન્ટાગોન સુરત ડાયમંડ બોર્સને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ટેગ શેડ કરશે (જુઓ)

View this post on Instagram A post shared by Surat Diamond Bourse (@surat_diamond_bourse)  વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું બિરુદ, જે 80 વર્ષ સુધી પેન્ટાગોન પાસે હતું, ટૂંક સમયમાં જ ગુજરાતના સુરતમાં એક બિલ્ડીંગ કબજે કરશે, એમ સીએનએનના સમાચાર અહેવાલમાં જણાવાયું છે. સુરત ડાયમંડ બોર્સ તરીકે ઓળખાતી નવી ઇમારત ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે સેવા આપશે. નોંધનીય છે કે, સુરત વિશ્વની રત્ન રાજધાની તરીકે જાણીતું છે, જ્યાં વિશ્વના 90 ટકા હીરા કાપવામાં આવે છે. 15 માળનું સુરત ડાયમંડ બોર્સ 35 એકર જમીનમાં ફેલાયેલું છે અને તેમાં નવ એકબીજા સાથે જોડાયેલા લંબચોરસ માળખાનો સમાવેશ થાય છે, જે કટર, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65,000 થી વધુ હીરા વ્યવસાયિકો માટે 'વન-સ્ટોપ ડેસ્ટિનેશન' પ્રદાન કરે છે, અહેવાલમાં જણાવાયું છે. ચાર વર્ષમાં બાંધવામાં આવેલી આ ઇમારત 7.1 મિલિયન ચોરસ ફૂટ કરતાં વધુ ફ્લોર સ્પેસ પ્રદાન કરે છે અને નવેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય હજારો લોકોને બિઝનેસ હેતુઓ માટે મુંબઈની દૈનિક મુસાફરીની ઝંઝટમાંથી બચાવવાનો છે. આંત...

જનરેટિવ AI શું છે અને તે વિશ્વને કેવી રીતે બદલશે?

Image
  જનરેટિવ AI શું છે અને તે વિશ્વને કેવી રીતે બદલશે? નવી દિલ્હી: OpenAI દ્વારા વાયરલ ચેટબોટ 'ChatGPT' લોન્ચ થયા બાદ જનરેટિવ AI એક બઝવર્ડ બની ગયું છે. ChatGPT એ તેની અદ્યતન વાતચીત ક્ષમતાઓ, ટેક્સ્ટ જનરેશન અને ફોલો-અપ પ્રશ્નોને હેન્ડલ કરવાની ક્ષમતા માટે ધ્યાન ખેંચ્યું છે. જનરેટિવ AI શું છે? જનરેટિવ AI એ કૃત્રિમ બુદ્ધિમત્તાનો સબસેટ છે જે વર્તમાન ડેટાસેટ્સનો ઉપયોગ કરીને ટેક્સ્ટ, ઑડિઓ, વિડિયો, છબીઓ અને કોડ જેવા વિવિધ ફોર્મેટમાં નવી સામગ્રી જનરેટ કરી શકે છે. તે સર્જનાત્મકતા અને પેટર્ન ઓળખનો ઉપયોગ કરીને ડેટાસેટમાં ઉપલબ્ધ છે તેના કરતાં વધુ સામગ્રી જનરેટ કરવા માટે મશીન લર્નિંગ અને ન્યુરલ નેટવર્કનો લાભ લે છે. AI અને જનરેટિવ AI વચ્ચે તફાવત કરવા માટે, એ સમજવું અગત્યનું છે કે કૃત્રિમ બુદ્ધિ એ એક વ્યાપક શિસ્ત છે, જ્યારે જનરેટિવ AI તેની અંદરનું એક વિશિષ્ટ પાસું છે. જનરેટિવ AI સામગ્રી ઉત્પાદન, ઇન્ટરનેટ વપરાશ, શીખવાની પ્રક્રિયાઓ અને માનવીય ક્રિયાપ્રતિક્રિયામાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. જનરેટિવ AI નો ઉપયોગ કરવો જનરેટિવ AI વિવિધ ફોર્મેટમાં સામગ્રી જનરેટ કરવાની તેની ક્ષમતાને કારણે બહુવિધ એપ્લ...