Skip to main content

Posts

Showing posts from June, 2023

મોટા સમાચાર: કેન્દ્રીય કર્મચારીઓ માટે નિર્ણયનો સમય, આજે સાંજે થશે મોંઘવારી ભથ્થા (DA) પર સૌથી મોટી જાહેરાત

  7મું પગાર પંચ: આજે સાંજે AICPI ઈન્ડેક્સના આંકડા આવવાના છે. આ નંબરો મે મહિના માટે CPIના હશે. તેના પરથી ખબર પડશે કે ડીએમાં કેટલો વધારો થયો છે. કર્મચારીઓ માટે આ જાહેરાત જુલાઈ 2023 માટે હશે. 7મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે આખરે નિર્ણયનો સમય આવી ગયો છે. તેમની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. 30મી જૂને સાંજે તેમના માટે સૌથી મોટી જાહેરાત થવા જઈ રહી છે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવા જઈ રહી છે. એકંદરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર હશે. ખરેખર, આજે સાંજે AICPI ઇન્ડેક્સના આંકડા આવવાના છે. આ નંબરો મે મહિના માટે CPIના હશે. તેના પરથી ખબર પડશે કે ડીએમાં કેટલો વધારો થયો છે. કર્મચારીઓ માટે આ જાહેરાત જુલાઈ 2023 માટે હશે.  કેન્દ્રીય કર્મચારીઓ માટે આવેલા AICPI વલણોથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. જુલાઈ 2023માં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો લગભગ નિશ્ચિત છે. આવનારા મહિનાઓમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA વધારો) 42 નહીં પણ 46 ટકાના દરે મળી શકે છે. વાસ્તવમાં, જુલાઈ 2023 માટે મોંઘવારી ભથ્થામાં વધારા માટે મે મહિના મ...

બાલવાટિકા શું છે?– બાલવાટિકાનું કાર્ય, લાભ અને હેતુ

  બાલવાટિકા શું છે, બાલવાટિકાના ઉદ્દેશ્યો, બાલવાટિકાના કાર્યો, બાલવાટિકાનો શું ફાયદો છે, બાલવાટિકા કાર્યક્રમ શું છે? કોઈપણ સમાજ અથવા કોઈપણ દેશના વિકાસ માટે શિક્ષણ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સારું અને સમયસર શિક્ષણનું પણ ઘણું મહત્વ છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મગજનો 85% વિકાસ 5 થી 6 વર્ષની વચ્ચે થાય છે, જે કોઈપણ બાળકના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ વર્ષ છે. આવા સંજોગોમાં જો બાળકોના આ સમયગાળા દરમિયાન આવી શિક્ષણ વ્યવસ્થા બનાવવામાં આવે તો બાળકોને રમવાની સાથે સારું શિક્ષણ મળી રહે અને તેમના મગજનો ખૂબ જ સારો વિકાસ થાય. બાલવાટિકા પણ આ સાથે વ્યવહાર કરે છે. તો ચાલો જાણીએ કે આખરે બાલવાટિકા શું છે, બાલવાટિકાના કાર્ય, ફાયદા અને હેતુ વિશે વિગતવાર, આગળ વાંચવું જ જોઈએ. Balvatika Kya Hai (બાલવાટિકા શું છે) બાલવાટિકા એક કાર્યક્રમ છે જેને પ્રાઇમરી ક્લાસથી બાળકોનો એક વર્ષ પહેલા મગજ અને બાળ વિકાસ હેતુ નીવ કા કાર્ય કરવામાં આવે છે. જેમ કે કેવી રીતે રમતને વાંચો, લખો અને સંખ્યાઓ સમજો કે શિક્ષણ દી જાતિ છે. બાલવાટીકામાં બાળકોના ઉત્પાદિત વર્ષોમાં તેમની યોગ્ય દેખરેખની જાતિ વિકસાવવામાં આવે છે અને તેમના મગજ...

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

   ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો સંભળાય...

એક ભંગારવાળો લાખોનો દાનવીર ! માનવામાં ન આવે ને ? તો જુઓ એક રિપોર્ટ.

   ફકીર ચંદ કૈથલના અર્જુન નગર ખનૌરી રોડ બાયપાસ ગલી નંબર-1માં બનેલા મકાનમાં રહે છે અને તેની ઉંમર 53 વર્ષ છે.  ફકીર ચાંદે જણાવ્યું કે તેઓ 5 ભાઈ-બહેન હતા અને તેમાંથી કોઈએ લગ્ન કર્યા નથી.  તમામ ભાઈ-બહેનો ગુજરી ગયા છે.  હવે તે પરિવારમાં એકલો છે.  કેટલાક પૈસા ભાઈ-બહેનોના હતા, જે મને મળ્યા. Navbharat Times  ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં રાજા હરિશ્ચંદ્ર, કર્ણ અને મહર્ષિ દધીચી જેવા દાતાઓના નામ ગુંજી રહ્યા છે.  જો આપણે આજના યુગની વાત કરીએ તો, રત્ના ટાટા કદાચ એવા વ્યક્તિ છે જે પોતાની કમાણીનો 60 ટકા ભાગ ચેરિટીમાં દાન કરે છે, પરંતુ આજે અમે તમને કૈથલના એક એવા વ્યક્તિનો પરિચય કરાવીશું જે આ દાતાઓથી ઓછા નથી.  કારણ કે આજે દરેક મનુષ્ય પૈસા માટે ભૂખ્યો જન્મે છે અને તે જ પૈસા માટે તે માનવતાની હત્યા પણ કરે છે. News18  તસવીરોમાં જે વ્યક્તિ ઉભી છે તે ફકીરચંદ છે, તે માત્ર નામથી જ ફકીરચંદ છે પણ તે દિલના એટલા સમૃદ્ધ છે કે તેમના વિશે જેટલું કહી શકાય તેટલું ઓછું છે.  તે પોતાની કમાણીનો 90 ટકા ભાગ ચેરિટીમાં દાન કરે છે.  આજે જ્યારે કોઈ તેમની કમાણીમાંથી એક રૂપિયો ...

ચીખલી તાલુકાની ઘેજ ( ખુશાલ .ફ) પ્રાથમિક શાળાનો ૪૯મો સ્થાપના દિવસ ઉજવાયો.

  ખેરગામ : ૨૪-૦૬-૨૦૨૩ તારીખ 24-06-2023નાં દિને  તાં.ચીખલી ઘેજ ( ખુશાલ .ફ) પ્રાથમિક શાળાના( ૪૯ વર્ષ થયાની) સ્થાપના દિવસની ઉજવણી ની શરૂઆત પ્રકૃતિ પૂજા કરી મહા માનવ બાબા સાહેબ આંબેડકર અને વિદ્યાની દેવી સવિત્રીબાઈ ફૂલેના ફોટાને ફૂલહાર ચઢાવી  કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ,ગામનાં આગેવાન ભાઈઓ અને બહેનો, બાળકો,વડીલો મોટી સંખ્યામાં હાજર રહી વડીલોનું સન્માન કરી ઉત્સાહભેર કેક કાપી  ઠંડા પીણાં અને નાસ્તાની વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવી.

ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જુઓ કઇ કઈ શાળાઓ શામેલ છે?

ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં.

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં.  KHERGAM : 20-06-2023 તારીખ ૧૯-૦૬-૨૦૨૩નાં દિને  જી-20 અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલ સરકારી શાળાનાં બાળકો માટે "નાણાંકીય સાક્ષરતા" ક્વિઝ સ્પર્ધામાં તાલુકા દીઠ ૧૦ જેટલી    માધ્યમિક શાળા /પ્રાથમિક શાળાઓ પસંદ કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક વિભાગમાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં નેન્સી વિમલભાઈ ગાંવિત અને મોહિતકુમાર નરેન્દ્રભાઈ ગાયકવાડની ટીમ પ્રથમ ક્રમાંકે આવી હતી.જ્યારે બીજા ક્રમાંકે ક્ન્યા શાળાની  તનુશ્રી જિતુભાઈ રાઠોડ અને શેલી સંજયકુમાર પટેલની ટીમ દ્વિતિય ક્રમાંકે અને કુમાર શાળા ખેરગામનાં મીતકુમાર પરેશભાઈ પટેલ અને સુમિતકુમાર રાજેશભાઈ પટેલની ટીમ તૃતિય ક્રમાંકે આવી હતી.        ઉપરોક્ત પ્રથમ ક્રમાંક મેળવેલ તોરણવેરા પ્રાથમિક શાળાની ટીમનાં બાળકોને ૫૦૦૦/- રુપિયા , દ્વિતિય ક્રમાંક મેળવેલ ક્ન્યા શાળાનાં બાળકોને ૪૦૦૦/- અને તૃતિય ક્રમાંક મેળવેલ કુમાર શાળાનાં બાળકોને ૩૦૦૦/- રુપિયા ઇનામ સ્વરુપે તેમનાં એકાઉન્ટમાં જમા થશે.  ...

પોમાપાળ પ્રાથમિક શાળામાં સ્થાપના દિને નોટબૂક વિતરણ કરવામાં આવ્યું.

  તારીખ ૧૫-૦૬-૨૦૨૩નાં દિને શાળાનો 69મો સ્થાપના દિવસ ઉજવાયો.જેમાં શાળાનાં વર્ગખંડોને શણગારવામાં આવ્યા હતાં.  એસ.એમ.સી.ના સભ્યો ,વાલીઓ,શિક્ષકો અને બાળકોની હાજરીમા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે ખેરગામ તાલુકા પંચાયતનાં સભ્ય શ્રીમતિ વિભાબેન પટેલ  અને એલ.આઈ.સી. ડીઓ. શ્રી જયેશભાઈ પટેલનાં તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બાળકોને નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. શાળા પરિવાર જયેશભાઈ પટેલ અને વિભાબેન પટેલનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તથા તેમના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે  શુભકામનાઓ પાઠવે છે. 

રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

    તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વેણ ફળિયા પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. રાઘવા ફળિયાના પાંચ બાળકો અને વેણ ફળિયા એક  બાળક મળી કુલ ૬ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય કિરણભાઈ પટેલ તરફથી  દરેક બાળકને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, રાઘવા પ્રા.શાળા smc અધ્યક્ષ શ્રી પંકજભાઈ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઉમેશભાઈ,  રાઘવા ફળિયા અને વેણ ફળિયાનાં SMC ના સભ્યો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.

વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    તારીખ :૧૨-૦૬-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવસારી જિલ્લા અને શિક્ષણ ભવનનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના હસ્તે શૈક્ષણિક કીટ દ્વારા ૧૩ બાળકોને પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરી ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.  એક દાતાશ્રી તરફથી શાળામાં ભણતા તમામ ૪૭ બાળકોને બેગ સ્વરૂપે અંદાજિત 16000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટર ભાવિકાબેન પટેલ ગામનાં સરપંચશ્રી પંકજભાઈ  નાયક, ગ્રામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી.નાં અઘ્યક્ષ અજયભાઈ નાયક તથા સભ્યો, આંગણવાડી કાર્યકરો,વાલીઓ હાજર રહ્યા હતાં. શાળા પરિવારે ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો.

                                    તારીખ 13.06.2023ના રોજ પ્રાથમિક શાળા વાડ મુખ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી...જેમાં વાડ ગામના પ્રથમ નાગરિક અંજલીબેન સરપંચની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં.. તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મચારી, ગામના અગ્રગણ્ય વ્યકિત અને જેને દાતાર કહી શકાય એવા દિનેશભાઈ તથા ચેતનભાઈ, આંગણવાડીના કાર્યકર તથા બાળકો...ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો...  જેમાં સરપંચ શ્રી તરફથી બાલવાટિકામાં   પ્રવેશ પામેલ 16 બાળકો ને કીટ આપવામાં આવી તેમજ શાળાના સ્ટાફમાં બેન શ્રીમતી જાગૃતિબેન અને મનીષાબેન તરફથી બેગ આપવામાં આવી તેમજ ધોરણ 1થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને શાળા સ્ટાફ તરફથી કીટ આપી અભિવાદન કરવામાં આવ્યું , તેમજ cet ની પરીક્ષામાં મેઘાબેન કમલેશભાઈ પટેલ ને મેડલ પેહરાવી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું,ત્યારબાદ દિનેશભાઈ તરફથી તમામ બાળકો ને મફત નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી ત...