Skip to main content

ખેરગામ કુમાર શાળાનો ૧૩૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

   




આજ રોજ તારીખ ૦૧-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાની સ્થાપના તારીખ ૦૧-૦૮-૧૮૮૫નાં દિને કરવામાં આવી હતી. આ શાળા માટે માટે ખેરગામ ગામનાં વતની મગનભાઈ કુંવરજી કંસારા દ્વારા ભૂમિનું દાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ શાળાના ૧૩૮ વર્ષ પૂર્ણ થયા છે. આ શાળામાંથી શિક્ષણ લઈ શિક્ષકો, સી. એ. ઇજનેર, ડૉકટર, પ્રોફેસર, બન્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી સ્થાયી થયા છે.
             શાળા સ્થાપનાના શુભ અવસરે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શાળાએ કરેલ પ્રગતિની ઝાંખી રજૂ કરી હતી.શાળાના બાળકો શાળામાં નિયમિત હાજરી આપીને ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને અંતે કેક કાપી  અને તિથીભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી. તેમજ શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ સૌ મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો. 
        આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય લીનાબેન, ખેરગામ ગ્રામ પંચાયતનાં ઉપ સરપંચશ્રી  તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, નિવૃત્ત કેન્દ્ર શિક્ષક રમેશભાઈ પટેલ, ગામનાં વડીલ ઘેલાભાઈ પટેલ, અંકુરભાઈ શુકલા, ભરતભાઈ ભરતિયા, નિશાંતભાઈ, ગ્રામજનો અને એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ હાજર રહ્યા હતા.
















Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...