Skip to main content

તારીખ-૦૭-૦૫-૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું કરવામાં આવેલ આયોજન.

   


શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ આયોજીત ૫ (પચ્ચીસમા) સમૂહલગ્ન પ્રસંગે, પરિવર્તનના પડકારે, પ્રવર્તમાન પરિતાર્થાતના પ્રવાહે, સંગઠનના સહિયારે, તૂર-થાળીના નાદે, આનંદ ઉત્સાહના હિલોળે સૌ જ્ઞાતિજનોને આ પવિત્ર પ્રસંગે સફળતાના સહભાગી બનવા હાર્દિક આમંત્રણ.

શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું આયોજન આગામી તા.૦૭-૦૩-૨૦૨૩ના રવિવારના રોજ  શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન ખાતે યોજેલ છે.  પ્રસંગે મંડળ આપની સમક્ષ નીચેના વિચારો પ્રગટ કરે છે. 

શ્રી જ્ઞાનકિરણ મંડળ આજે ૨૫ માં સમૂહલગ્નનું આયોજન કરી રહેલ છે એ આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત છે. આયોજનમાં સમાજના દરેક સ્તરના સમાજબંધુ ભગીનીઓના સહકાર અને સહયોગથી જ આ પ્રસંગ દીપી ઉઠેલ છે. આજની કાળઝાળ મોંધવારીમાં આંધળુ અનુકરણ કરી દેવાદાર બની ભાવિ પેઢીનું ભાવિ અંધકારમય બનાવવા કરતાં પરીવર્તનશીલ પ્રગતીના પંથના રાહબર બની સમાજને નવો રાહ ચીંધી એક પ્રેરક ઉદાહરણ બની શકીએ એ આપણા દ્રઢ નિશ્ચયની વાત છે. સમૂહલગ્ન અંગેની ફી બન્ને પક્ષ તરફથી રૂા. ૫૦૦૦/- નક્કી કરેલ છે. મંડળ તરફથી ભોજન, લગ્ન વિધિનું વિડીયો શુટીંગ, વાજીત્ર, કન્યાદાનની ભેટ સોગાદની વ્યવસ્થા, કરવામાં આવશે તેમજ સરકારશ્રી તરફથી ‘સમૂહલગ્નના સાત ફેરા’’ યોજના હેઠળ લાભ મેળવવા પણ યુગલોને રૂ. ૧૦૦૦૦/-ની આર્થિક સહાય મેળવી આપવા માટેના ફોર્મ ભરી આપવામાં આવશે. મંડળે નક્કી કરેલ નિયમોમાં કોઇપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. 

"શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સમાજના પરિવર્તન પંથની એક દીવાદાંડી છે. એના સહિયારે મંઝિલ મેળવવી કે મઝધારે ડૂબવું એ આપના હાથની વાત છે."

આપનું આ પ્રસંગે સમાજ માટે નીચે મુજબનું યોગદાન અર્પણ કરી આભારી કરી શકશો.

  • સમૂહલાનાં આયોજનમાં આપના પુત્ર - પુત્રીના નામ નોંધણી કરાવી સમાજના પથદર્શક બની શકો છો. 
  •  આ પ્રસંગે સમાજ તરફથી અર્પણ થતાં કન્યાદાનમાં નવદંતિઓને ભેટ અર્પણ કરીને.
  •  સમૂહલગ્ન પ્રસંગે વિવિધ જરૂરીયાત જેવી કે શાકભાજી, અનાજ કે રોકડ સ્વરૂપમાં સમાજને દાન અર્પણ કરીને.
  • કોઈક કુટુંબના માર્ગદર્શક બનીને આ સમુહલગ્નમાં જોડાવા અનુરોધ કરીને. 

અરજી ફોર્મ સમાજભવન સુરખાઈ ખાતેથી પ્રાપ્ત થશે.

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ :૧૫|૦૪|૨૦૨૩ રહેશે.



Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...