Posts

સમય સાથે બદલાતી પરંપરા : ખેરગામમાં સાતમા દિવસે જ 'બારમું' વિધિ પૂર્ણ.

Image
  સમય સાથે બદલાતી પરંપરા : ખેરગામમાં સાતમા દિવસે જ 'બારમું' વિધિ પૂર્ણ. ખેરગામના વેણ ફળિયા નિવાસી તથા ડૉ. પંકજકુમાર શંકરભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન શંકરભાઈ પટેલનું સંવત ૨૦૮૨ના અષાઢ સુદ નોમ, બુધવાર તા. 22/07/2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. દિવંગત આત્માની સ્મૃતિમાં સારણકિયા વિધિ સોમવાર, તા. 27/07/2026ના રોજ સવારે 8:00 કલાકે શનિદેવ મંદિર, ઔરંગા નદીના તટે યોજાશે. ત્યારબાદ તુલસીપૂજા મંગળવાર, તા. 28/07/2026ના રોજ સવારે 11:00 કલાકે યોજાશે. આ પ્રસંગે પટેલ પરિવારે સમાજમાં પ્રચલિત અંતિમ સંસ્કાર સંબંધિત રીતિ-રિવાજોમાં સમયાનુકૂળ પરિવર્તન તરફ એક નવી પહેલ કરતાં સાતમા દિવસે જ 'બારમું' (બાર દિવસની વિધિ) પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ડૉ. પંકજ પટેલના જણાવ્યા અનુસાર, વ્યક્તિના અવસાન બાદ લાંબા સમય સુધી ચાલતા ક્રિયાકાંડ અને પરંપરાગત કાર્યક્રમોમાં નોંધપાત્ર સમય વ્યતીત થાય છે. આધુનિક જીવનશૈલી, સમયની જરૂરિયાત અને વ્યવહારિક સુવિધાને ધ્યાનમાં રાખીને ધાર્મિક ભાવનાનું જતન જળવાઈ રહે તે રીતે આ વિધિઓને વધુ સરળ અને સમયાનુકૂળ બનાવવાનો તેમનો પ્રયાસ છે. આ નિર્ણય અંતર્ગત તેમણે સંબંધિત આમંત્રણપત્ર પણ...

સેવા માટે સંપત્તિ નહીં, પણ સંવેદના જોઈએ!

Image
       સેવા માટે સંપત્તિ નહીં, પણ સંવેદના જોઈએ! વલસાડ: વિનાશક પૂરની આપત્તિ વચ્ચે વિરવલ સ્થિત અનસૂયા છાત્રાલયની આદિવાસી દીકરીઓએ માનવતાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આર્થિક રીતે દાન કરવાની ક્ષમતા ન હોવા છતાં તેમણે સેવા માટે અનોખો માર્ગ પસંદ કરીને પૂર પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. "અમારી પાસે દાન આપવા પૈસા નથી, પરંતુ અમે પૂર પીડિતોના કપડાં ધોઈને સેવા કરવા માંગીએ છીએ," એવા નિઃસ્વાર્થ ભાવ સાથે દીકરીઓએ ટેમ્પો ભરેલા કપડાં કલાકોની મહેનત કરીને પોતાના હાથે ધોઈ સ્વચ્છ બનાવ્યા. તેમની આ સેવા માત્ર એક કાર્ય નહોતું, પરંતુ કરુણા, માનવતા અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાચી સેવા માટે સંપત્તિ નહીં, પરંતુ સંવેદનાથી ભરેલું હૃદય જરૂરી છે. વિરવલની આ દીકરીઓનો સેવાભાવ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે અને આપત્તિના સમયમાં માનવતા જ સૌથી મોટી તાકાત છે તેવો સંદેશ આપી રહ્યો છે. વિરવલની આ સેવાભાવી દીકરીઓને હૃદયપૂર્વક વંદન અને તેમની માનવતાભરી પહેલને સલામ.

ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન.

Image
               ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા ...

નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન.

Image
નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયત મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, નવસારી તાલુકા ઘટક સંઘના પ્રતિનિધિઓ, વાંસદા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત તેમજ ગણદેવી તાલુકા ઘટક સંઘના મહામંત્રીશ્રી સતીશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક સંઘના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શિક્ષણ ક્ષેત્રના વિકાસ અને શિક્ષકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે પરસ્પર સહકારની ભાવના સાથે કાર્ય કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો...

ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર.

Image
      ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર. ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વર્ષ 2026-27 અને 2027-28 માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ખજાનચીશ્રી, સહમંત્રીશ્રી તથા જિલ્લા કારોબારીના સભ્યો માટે યોજાયેલી ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં પ્રમુખ તરીકે શ્રી મનોજકુમાર રમણલાલ પટેલ (તિસ્કરી તલાટ પ્રાથમિક શાળા), ઉપપ્રમુખ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળ (જાગીરી પ્રાથમિક શાળા), મહામંત્રી તરીકે શ્રી રામચંદ્રભાઈ હુનીયાભાઈ માહલા (ડુંગરસેત ભવાડા પ્રાથમિક શાળા), ખજાનચી તરીકે શ્રી સંજોગકુમાર કાળીદાસ પટેલ (કરંજવેરી પ્રાથમિક શાળા) તથા સહમંત્રી તરીકે શ્રી નિતીનકુમાર ધીરૂભાઈ આહીર (મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જિલ્લા કારોબારી માટે પણ કુલ 10 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેમાં શ્રી પરેશભાઈ ધનસુખભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, શ્રી હિરેનકુમાર દુર્લભભાઈ રાઠોડ, ...

નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની તાલુકા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ

Image
નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની તાલુકા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત  નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25)  અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ તાલુકા કક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ  ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા  તાલુકા કક્ષાએ  પ્રથમ ક્રમાંક  પ્રાપ્ત કર્યો છે, જ્યારે  વાવ પ્રાથમિક શાળા  એ  દ્વિતીય ક્રમાંક  મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય  નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવ...

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

Image
 ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.