Posts

ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યાં.

Image
   ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર  મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યાં. ખેરગામ । ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાના નેતૃત્વ હેઠળ 'વિશ્વ મહિલા દિન' ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.          સમસ્ત આદિવાસી સમાજ છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી જનજાગૃતિ, શિક્ષણ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ, સ્ત્રીસશક્તિકરણ,  જેવા વિવિધ મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. ‘વિશ્વ મહિલા દિવસ' અવસર પર આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ અને ગાંધીનગરના નિવૃત સચિવ ઠાકોરભાઈ પટેલ દ્વારા ડો. દિવ્યાંગી પટેલ, ડાંગના નીતાબેન પટેલ અને ધરમપુરના દર્શનાબેન પટેલ સાથે મળીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી ચૂકેલ અને સમાજસેવામા મહત્વનું યોગદાન આપનાર 62 જેટલાં મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.          આ પ્રસંગે ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા સ્ત્રીઓના સામાજિક સંગઠનોમાં વધુ જવાબદારી ઉપાડવાના તેમજ વિધવા પુન:વિવાહ, ડાકણ કાઢવા જેવી અંધશ્રદ્ધાઓ પર કાયદાકીય લગામ કસવાની ઈચ્છા વ્યક્ત કરી હત...

વિશ્વ મહિલા દિવસ પર સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા આદિવાસી સમાજની મહિલાઓની ઉત્કૃષ્ટ કામગીરી અને આત્મ નિર્ભરતા માટે સન્માનિત કરવામાં આવ્યાં.

Image
    ખેરગામ  : તારીખ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસના પાવન અવસરે નવસારી જીલ્લાના સુરખાઈ ગામ ખાતે આવેલ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે મહિલાઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી અને આત્મનિર્ભરતા માટે આદિવાસી સમાજનો સન્માન સમારોહ યોજાયો. જેમાં  પ્રો. નિરલ પટેલ તથા ઇજનેર મયુર પટેલનાં માતૃશ્રી  કલ્પનાબેન પટેલ  આશરે છેલ્લા ૨૫ વર્ષ પહેલાં ચાલુ કરેલ નાનકડી કરિયાણાની દુકાનથી હાલ કલ્પવંત રેસ્ટોરન્ટ સુધીની સફર માટે સ્ત્રીની આત્મનિર્ભરતા તેમજ સમાજને  વ્યસન મુક્ત જીવન જીવવા માટે કરેલ પહેલ બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.                જે તેમના દીકરાઓ  માટે ખૂબ જ ગૌરવશીલ ક્ષણ હતી. રસપ્રદ વાત તો એ હતી કે પ્રો. નિરલ પટેલનાં માતાનું નામ પણ કલ્પનાબેન અને પુરસ્કાર આપનાર બહેન પણ કલ્પનાબેન (મામલતદાર વાપી)નાં હતા. બીજી ઘણી અન્ય બહેનો પણ હતી કે જેઓ પોતે દિવ્યાંગ, કોઈ વિધવા તો કોઈ આર્થિક રીતે લાચાર હોવા છતાં પણ આત્મનિર્ભરતાની મિશાલ હતી. ખરેખર એમને જોઇને અમુક ક્ષણ માટે હૃદય પણ દ્રવી ઉઠ્યું કે કેવી કેવી પરિસ્થિતિમાંથી આવીને પગભર બન્યા ...

ખેરગામ વેણ ફળિયા ખાતે ધૂળેટીના દિને ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
     ખેરગામ : તારીખ : ૦૭-૦૩-૨૦૨૩નાં દિને વેણ ફળિયા ખાતે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વેણ ફળિયાની ૬ ટીમોને ભાગ લીધો હતો. વેણ ફળિયા ચેલેંજર , સાઈ ઇલેવન, ખુંખાર ઇલેવન, બરાંગ ઇલેવન, જોહાર ઇલેવન અને બજરંગ ઇલેવને ભાગ લીધો હતો.   મેચનું ઉદ્દઘાટન  બંધાડ ફળિયા ખેરગામનાં આગેવાન ધર્મેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.      વેણ ફળિયા ચેલેન્જર ટીમ અને સાઈ ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મેચમાં વેણ ફળિયા ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. અને સાઈ ઇલેવન ટીમ  રનર્સ‌ અપ રહી હતી. બેસ્ટ તરીકે બોલર રાજુ પટેલ અને બેસ્ટ બેટ્સમેન પ્રતિક પટેલને જાહેર કરવામાં આવ્યા હતા. વેણ ફળિયા ઈલેવનના કેપ્ટન અક્કુ પટેલે આશિષભાઈ પટેલના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. જ્યારે સાઈ ઈલેવન ટીમના કેપ્ટન સંદિપ પટેલને રનર્સ અપ ની ટ્રોફી  નવીનભાઈ પટેલને હસ્તે અર્પણ કરવામાં આવી હતી.  આ ટુર્નામેન્ટનું આયોજન વેણફળિયાના યુવાનોમાં એકતા ભાઈચારો વધે એ હેતુસર દર વર્ષે કરવામાં આવે છે. જેમાં યુવાનો અને દાતાઓના સહકારથી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.  આ ટુર્નામે...

કુછ રંગ પ્યાર કે એસે ભી.

Image
    કુછ રંગ પ્યાર કે એસે ભી "વિસ્થાપિતો સંવેદના મુલાકાત" યાત્રા દરમ્યાન અનેક દુર્ગમ સ્થળોની અને શાળાઓની અને આવી આંતરિયાળ વિસ્તારોમાં ચાલતા જતાં બાળકો જેઓ પાયાની સુવિધાઓથી વંચિત હતાં તેઓને અમારા બાળકોના જન્મદિવસ નિમિત્તે લાગણીશીલ સ્વજનો દ્વારા મળેલી ભણતર ઉપયોગી ભેંટો અને દર્દી એવા દાદીએ પોતાની અંતિમ ઈચ્છારૂપે આપેલી પોતાની જમાપુંજી માંથી ચોકલેટો અને પેન સહિત વિવિધ ચીજવસ્તુઓ હજારો બાળકોને વહેંચી દુનિયાની સૌથી મહામૂલી વસ્તુ એટલે કે બાળકો અને માતાઓનું નિર્દોષ ભાવભરેલું હાસ્ય ખરીદવા મળ્યું જેનો અનહદ આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. Dr.Nirav patel Chhanydo hospital khergam

તારીખ :૦૩-૦૩-૨૦૨૩નાં દિને પાણીખડક પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકાનાં મુખ્ય શિક્ષકોની મીટીંગ યોજાઈ.

Image
      તારીખ :૦૩-૦૩-૨૦૨૩નાં દિને પાણીખડક  પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકાનાં તમામ મુખ્ય શિક્ષકોની મીટીંગ યોજાઈ.       નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નવીનભાઈ પટેલ સાહેબ અને ખેરગામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા ખેરગામ તાલુકાના તમામ મુખ્ય શિક્ષકોની મીટીંગ પાણીખડક પ્રાથમિક  શાળામાં રાખવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મનીષ સાહેબ દ્વારા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ. શૈક્ષણિક તેમજ વહીવટી તમામ બાબતો અંતર્ગત જરૂરી માર્ગદર્શન સાહેબશ્રી દ્વારા આપવામાં આવ્યું ખેરગામ તાલુકામાં સૌપ્રથમવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા આ રીતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું                  ખેરગામ તાલુકાના બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું. તથા સાહેબશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર...

ખેરગામ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં 30 મો વાર્ષિક ઈનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું.

Image
    ખેરગામ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં 30 મો વાર્ષિક ઈનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું. જેમા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ખેરગામ ગામનાં સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીલાલ પટેલ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી શૈલેશભાઈ ટેલર, લિતેષભાઈ, શ્રીમતિ  લીનાબેન, શ્રીમતિ  તર્પણાબેન તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

ચીખલી તાલુકાનાં કાકડવેલ ખાતે પ્રો.નિરલ પટેલે GPSC પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

Image
     ખેરગામ :  ચીખલી તાલુકાના કાકડવેલ ખાતે વલસાડ પોલીટેકનિક કોલેજમાં ફરજ બજાવતા અને ખેરગામ ભવાની નગર સોસાયટીના રહીશ પ્રો.નિરલ પટેલે GPSC પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.  તારીખ: 25-02-2023નાં રોજ ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય કાકડવેલ, ચીખલી ખાતે આગામી સમયમાં આવનાર જુનીયર ક્લાર્ક, તલાટી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ગામના સરપંચ નટુભાઈ, ડે. સરપંચ નિલેશભાઈ, ગામના સમાજસેવી અગ્રણી એવા રણજીતભાઇ, દૂધ ડેરી સંચાલક મહેન્દ્રભાઈ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સેમિનારમાં  પ્રો. નિરલ પટેલને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ મળતાં ઉમેદવારો સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઘણા બધા ઉમેદવારોની વેદના પણ સાંભળી અને ભવિષ્યમાં ન માત્ર સરકારી નોકરી પર નિર્ભર રહેવાના બદલે કોઈપણ પ્રકારના ધંધા રોજગાર કરી પગભર થવા માટે પણ સલાહ સૂચનો આપ્યા હતાં. રસપ્રદ વાત તો એ હતી કે એક નાનકડું ગામ હોવા છતાં પણ ગામના અગ્રણીઓ દ્વારા આર્થિક રીતે પછાત ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ફ...