Skip to main content

વોર ઓન ચિલ્ડ્રન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈની નિર્દયી વાસ્તવિકતા

  


 Image credit: X @mayadeen

આંતરરાષ્ટ્રીય મીડિયા યહૂદી બાળકોની હત્યાઓને ‘નગણ્ય’ ગણે છે, પણ હકીકત એ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને બાળકોના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેર્સે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર જો કોઈ નર્ક હોય, તો આજે ગાઝાનાં બાળકોનું જીવન છે.’

લોકો સોશિયલ મીડિયા પર, વિશેષ કરીને ટ્વિટર (હવે એક્સ) પર સક્રિય છે, તેમને ઇઝરાયેલ-પેલેસ્ટાઈનની લડાઈમાંથી આવતાં જખ્મી બાળકોના સમાચારો, તસવીરો અને વીડિયોથી પીડા થતી હશે. તેમને એવો પણ પ્રશ્ન થતો હશે કે આ તે કેવી લડાઈ છે, જેમાં માસૂમ બાળકોને નિશાન બનાવવામાં આવે છે?

અન્ડરવર્લ્ડના ગેંગસ્ટરો સુધ્ધાંમાં એક વણલખ્યો નિયમ છે કે તેમની લડાઈમાં ક્યારેય બાળકો અને સ્ત્રીઓને નિશાન નહીં બનાવવાનાં. 1949માં જીનીવા સંમેલનમાં સશસ્ત્ર સંઘર્ષના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત નિયમો પસાર કરવામાં આવ્યા હતા કે સંઘર્ષની સ્થિતિમાં બાળકોનું રક્ષણ કરવું અને તેમની સાથે માનવીય વ્યવહાર કરવો.

સચ્ચાઈ એ છે કે સશસ્ત્ર સંઘર્ષોને કારણે થતી અંધાધૂંધીમાં બાળકોને સૌથી વધુ અન્યાય થાય છે. તે નાનાં હોય છે એટલે તેમની આસપાસ શું થઇ રહ્યું છે તેની તેમને સમજ નથી હોતી અને પોતાનો બચાવ કરવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી હોતો. તેથી તેઓ આસાન લક્ષ્ય બની જાય છે અને સશસ્ત્ર દળોને તેમનો ‘ઉપયોગ’ કરવામાં કોઈ વાંધો નથી હોતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક આંકડા પ્રમાણે છેલ્લાં 10 વર્ષ દરમિયાન, યુદ્ધના પરિણામે વિશ્વમાં આશરે 1 કરોડ બાળકો માર્યાં ગયાં હોવાનો અંદાજ છે.

7મી ઓક્ટોબરે, પેલેસ્ટાઈનના ગાઝામાં ઇઝરાયેલે બોમ્બિંગ શરૂ કર્યું ત્યારથી 100 જેટલાં બાળકોનાં મોત થયાં છે. એ અગાઉ હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો, ત્યારે 14 બાળકો માર્યાં ગયાં હતાં. હમાસે લગભગ 200 ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડે સ્થાનિક અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝામાં 700થી વધુ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 2,450 ઘાયલ થયાં છે).

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસૂફ ઝઈએ કહ્યું હતું કે, ‘પાછલા દિવસોના દુઃખદ સમાચારો જોઇને મને અધવચ્ચે ફસાયેલાં પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલી બાળકોની ચિંતા થાય છે. યુદ્ધ ક્યારેય બાળકોને છોડતું નથી- ઇઝરાયેલમાં તેમના ઘરમાંથી અપહરણ કરાયેલાં, હવાઈ હુમલાઓથી બચવા કોશિશ કરી રહેલાં અથવા ગાઝામાં ખોરાક અને પાણી વિના છુપાયેલાં બાળકોને પણ નહીં.

ઇઝરાયેલે નાઝીઓના હાથે નરસંહાર દરમિયાન યુરોપમાં 15 લાખ યહૂદી બાળકોની હત્યા થયાનાં થોડાં વર્ષો પછી, 1951માં સંધિપત્રને બહાલી આપી હતી, પરંતુ ઇઝરાયેલ ચોથા જીનિવા સંમેલનને માન્યતા આપતું નથી, જે કબજા સામે લડતા નાગરિકોનું રક્ષણ કરે છે, કારણ કે તે પેલેસ્ટાઇનને કબજા હેઠળની જમીન માનતું નથી.

જેરુસલેમ સ્થિત સેવાભાવી સંગઠન ‘બીક્સેલેમ’ની 2021ની ગણતરી પ્રમાણે, છેલ્લા બે દાયકામાં ઇઝરાયેલી દળોની કાર્યવાહીમાં લગભગ 2,171 બાળકો માર્યાં ગયાં છે, જ્યારે પેલેસ્ટાઈનના લડાયકોના હાથે 139 ઇઝરાયેલી બાળકો ભોગ બન્યાં છે.

આ યુદ્ધ વર્તમાન સમયની ક્રૂર વાસ્તવિકતા અને માનવાધિકારના ઉલ્લંઘનને દર્શાવે છે. એમાંથી બાળકો પણ બાકાત નથી. હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો બંને પર બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરીને તેમને નુકસાન પહોંચાડવા અને મારી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમુક પત્રકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા યહૂદી બાળકોની હત્યાઓને ‘નગણ્ય’ ગણે છે, પણ હકીકત એ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને બાળકોના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેર્સે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર જો કોઈ નર્ક હોય, તો આજે ગાઝાનાં બાળકોનું જીવન છે.’

આ સ્થિતિ આજની નથી. ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી યુવાનો લડાઈમાં અગ્રેસર રહ્યા છે. એમાં બાળકો, ખાસ કરીને પેલેસ્ટિનિયન બાળકો, ગોળીબાર, બોમ્બ ધડાકા, આતંકવાદ માટેની ભરતી અને અટકાયતનાં શિકાર બનતાં રહ્યાં છે. ઇઝરાયેલી લશ્કરી કબજા હેઠળ, વેસ્ટ બેંક અને ગાઝામાં રહેતાં પેલેસ્ટિનિયન બાળકોએ હિંસા, શોષણ, ગોળીબાર અને સામૂહિક સજાના ચક્રનો અનુભવ કર્યો છે.

સંઘર્ષ અને તેની માનસિક પીડા પર કામ કરતા નિષ્ણાતો કહે છે કે ઇઝરાયેલી અને પેલેસ્ટિનિયન બાળકો પર આ હિંસાની ટૂંકા અને લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો પડે છે, પણ ગાઝામાં રહેતાં બાળકોની સ્થિતિ વધુ સંવેદનશીલ છે, કારણ કે તેઓ વધુ અસુરક્ષિત છે અને ત્યાં માનસિક સ્વાસ્થ્ય સંભાળ રાખવાની વ્યવસ્થા નથી. ગાઝામાં, 40%થી વધુ વસતી 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની છે.

1999માં, લૌરેલ હોલિડે નામની શિક્ષિકા, સાઇકોથેરાપિસ્ટ અને હવે લેખકે ‘ચિલ્ડ્રન ઓફ ઇઝરાયેલ, ચિલ્ડ્રન ઓફ પેલેસ્ટાઈન અવર ઓન ટ્રસ્ટોરીઝ’નામનું એક હૃદયસ્પર્શી પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં દુનિયાના આ સૌથી લાંબા સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં રહેતા અને ત્યાં ઉછરેલા લોકોના દૃષ્ટિકોણથી 36 વાર્તાઓનું સંકલન કરવામાં આવ્યું હતું.

તેમાં 27 વર્ષીય પત્રકાર નિહાયા કવસ્મીનું એક વિધાન હતું, ‘ક્યારેક મને લાગે છે કે પેલેસ્ટિનિયનો ભગવાનનાં ઓરમાયાં બાળકો છે; અમે જીવવા અને શ્વાસ લેવાને લાયક નથી, અમે દુનિયાનો બલિનો બકરો છીએ,અમારે અમારો દેશ છોડીને યહૂદીઓ માટે જગ્યા કરવી પડી જેમણે અમારી જમીન પર પોતાનું વતન અને રાજ્ય સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું.

લોરેલ એમાં લખે છે કે ‘વંશીય રીતે બે અલગ લોકો-પેલેસ્ટાઈન અને ઇઝરાયેલી યહૂદીઓ-એક જ રેતી, પથ્થર, નદીઓ, વનસ્પતિ, દરિયાકિનારો અને પર્વતો પર દાવો કરે છે.’ તે આ સંઘર્ષમાં ભોગ લોકોની જે વાર્તાઓ રજૂ કરે છે તેમાં એક પીડાદાયક સચ્ચાઈ સામે આવે છે; ‘ઇઝરાયેલી અને પેલેસ્ટિનિયન બાળકો એવી લાગણી સાથે મોટાં થાય છે કે તેઓ તેમના પડોશીઓ સાથે સંઘર્ષ કરવા માટેની નિયતિ લઈને આવ્યાં છે.'

અવિવેકી યુદ્ધનો ભોગ બનેલાં આ બાળકો એવા ઘા સહન કરે છે જે શારીરિક કરતાં ઘણા ઊંડા છે. તેમનાં હૃદય આઘાતનો ભારે બોજો વહન કરે છે, તેમનાં મન દુઃસ્વપ્નથી ત્રાસી જાય છે જે તેમની ઊંઘ છીનવી લે છે. એક સમયે તેમના દિવસો હાસ્ય અને આનંદથી ભરેલા રહેતા હતા, આજે તે ભય, ચિંતા અને ખોટની ઊંડી ભાવનામાં બદલાઈ ગયા છે. 

તે એક કરુણાંતિકા છે કે તેમનું બાળપણ પ્રેમ, ભણતર અને સપનાંઓથી ભરેલું હોવું જોઈતું હતું, તેના બદલે સંઘર્ષના વિનાશથી તે ઘાયલ થઈ ગયું છે. તેમની નિર્દોષતા હણાઈ ગઈ છે અને તેમની સામે એક એવી કઠોર વાસ્તવિકતા છે જેનો સામનો કોઈ પણ બાળકને ક્યારેય કરવો ન પડે.

લૌરેલ હોલિડેના પુસ્તકમાં 18 વર્ષની એક છોકરી એક દૃષ્ટાંતકથા કહે છે, જેમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનનાં બાળકોની આશા અને નિરાશાનું મર્મસ્પર્શી ચિત્રણ છેઃ

‘માખણ ભરેલી એક બરણીમાં બે દેડકા ફસાયેલા હતા. તેઓ ન તો માખણની બહાર કૂદી શકતા હતા કે ન તો ઉપર ચઢી શકતા હતા, કારણ કે બરણીની બાજુઓ લપસણી હતી. એક દેડકાએ કહ્યું, ‘સવાર સુધીમાં તો હું મરી જઈશ’, અને સૂઈ ગયો. બીજો દેડકો બહાર નીકળી જવાની આશામાં આખી રાત તરતો રહ્યો અને સવારે માખણ પર તેનું મૃત શરીર તરતું હતું.' 

સ્રોત : સંદેશ ન્યૂઝ, કોલમ - બ્રેકિંગ ન્યૂઝ ( રાજ ગોસ્વામી)


Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...